Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૪૦ વર્ષ જૂનાં કાટ લાગેલાં ટૅન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે એ પણ એટલું જ જોખમી

૪૦ વર્ષ જૂનાં કાટ લાગેલાં ટૅન્કરોથી પાણી પહોંચાડવામાં આવે છે એ પણ એટલું જ જોખમી

Published : 04 January, 2026 09:51 AM | IST | Indore
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દૂષિત પાણીથી ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવા છતાં હજી ઇન્દોર નગરપાલિકા જાગતી નથી

કાટ લાગેલા ટૅન્કરનું પાણી પીવાથી બીજી સમસ્યાઓ શરૂ થઈ શકે છે

કાટ લાગેલા ટૅન્કરનું પાણી પીવાથી બીજી સમસ્યાઓ શરૂ થઈ શકે છે


ઇન્દોરના ભાગીરથપુરામાં દૂષિત પાણીને કારણે ૧૫ લોકોના જીવ ગયા છે એને કારણે જે લોકોને પરવડે છે તેઓ મિનરલ વૉટર કે બૉટલ્ડ વૉટર વાપરવા લાગ્યા છે. જોકે સરકારે પણ કેટલાક વિસ્તારોમાં ટૅન્કર દ્વારા સારું પાણી પહોંચાડવાની પહેલ કરી છે. અલબત્ત, આ રસ્તો પણ સેફ નથી, કેમ કે જે ટૅન્કરોમાં પાણી પહોંચાડાઈ રહ્યું છે એમાંથી ઘણાં ટૅન્કરો ૪૦ વર્ષથી વધુ જૂનાં છે અને લાંબા સમયથી સાફ ન થયાં હોવાથી કાટ લાગી ગયો છે. ટૅન્કરોની અંદર પણ ગંદકી અને કીચડની પરત જામેલી હોવાનું જોવા મળ્યું છે.

એવામાં ઇન્દોરવાસીઓ શુદ્ધ પાણી માટે ટળવળી રહ્યા છે. ટૅન્કરોનું પાણી તો શુદ્ધ હશે જ એમ માનીને એને ડાયરેક્ટ પીવાના ઉપયોગમાં લેવાનું જોખમી જ છે એવું સ્થાનિક ડૉક્ટરોનું કહેવું છે. કાટ લાગેલા ટૅન્કરનું પાણી પીવાથી બીજી સમસ્યાઓ શરૂ થઈ શકે છે એવી ભીતિ સ્થાનિક ડૉક્ટરોએ જતાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 09:51 AM IST | Indore | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK