Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેદારનાથના રસ્તામાં ભૂસ્ખલન, રસ્તો બંધ થઈ ગયો: ૧૦,૪૫૦ શ્રદ્ધાળુઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા

કેદારનાથના રસ્તામાં ભૂસ્ખલન, રસ્તો બંધ થઈ ગયો: ૧૦,૪૫૦ શ્રદ્ધાળુઓને સુરક્ષિત કાઢવામાં આવ્યા

Published : 21 May, 2026 09:10 AM | IST | Kedarnath
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખી રાત ચાલેલા આ અભિયાન પછી હવે યાત્રાની અવરજવર આંશિક અવરોધ સાથે ફરીથી શરૂ થઈ ગઈ હતી.

કેદારનાથ

કેદારનાથ


ઉત્તરાખંડમાં કેદારનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ધસારો ચરમસીમાએ છે અને લાખો લોકો દર્શન માટે જઈ રહ્યા છે. એવામાં મંગળવારે રાતે કેદારનાથ માર્ગ પર રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલન થતાં અફરાતફરી મચી ગઈ હતી. ૧૯ મેએ સોનપ્રયાગ-ગૌરીકુંડના વચ્ચેના મુનકટિયા વિસ્તારમાં અચાનક ભૂસ્ખલન થયું હતું. એને કારણે કેદારનાથના યાત્રીઓના માર્ગમાં અવરોધ આવ્યો હતો. રાતે લગભગ સાડાનવ વાગ્યે આ ઘટનાની જાણ રેસ્ક્યુ દળોને કરવામાં આવી હતી. એ પછી તરત જ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની ટીમો પહોંચી ગઈ હતી. બન્ને ટીમોએ સંયુક્ત રીતે ઑપરેશન હાથ ધરીને ભૂસ્ખલનને કારણે થયેલું ડૅમેજ દૂર કરીને બીજી તરફ ફસાયેલા ૧૦,૪૫૦ શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે રસ્તો પાર કરાવ્યો હતો.  આખી રાત ચાલેલા આ અભિયાન પછી હવે યાત્રાની અવરજવર આંશિક અવરોધ સાથે ફરીથી શરૂ થઈ ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 09:10 AM IST | Kedarnath | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK