Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મેરઠમાં મતદાન પૂરું થતાં જ અરુણ ગોવિલ મુંબઈ ગયા, કૉન્ગ્રેસે ટીકા કરી

મેરઠમાં મતદાન પૂરું થતાં જ અરુણ ગોવિલ મુંબઈ ગયા, કૉન્ગ્રેસે ટીકા કરી

30 April, 2024 09:02 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાયે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે અરુણ ગોવિલ પૅરૅશૂટ પૉલિટિશ્યન છે

અરુણ ગોવિલ

અરુણ ગોવિલ


ભારતીય જનતા પાર્ટી (BJP)ના મેરઠ લોકસભા બેઠકના ઉમેદવાર અરુણ ગોવિલ મેરઠમાં મતદાન પૂરું થયા બાદ મુંબઈ જતા રહ્યા હોવાથી કૉન્ગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રમુખ અજય રાયે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે અરુણ ગોવિલ પૅરૅશૂટ પૉલિટિશ્યન છે, મેરઠમાં મતદાન પૂરું થયું એટલે તેઓ સીધા તેમના ઘરે મુંબઈ પહોંચી ગયા છે. 

જોકે આ મુદ્દે અરુણ ગોવિલે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘મારા સન્માનિત મતદારો, હોળીના દિવસે પાર્ટીએ મારા નામની ઘોષણા કરી એટલે ૨૬ માર્ચે હું મેરઠ આવ્યો હતો અને એક મહિનો આપની સાથે રહ્યો અને તમારા સહયોગથી ચૂંટણીનો પ્રચાર કર્યો. ચૂંટણી પૂરી થઈ; તમારા પ્રેમ, સહયોગ અને સન્માન માટે આભારી છું. હવે પાર્ટીના નિર્દેશના પગલે હું મુંબઈમાં છું, અહીંની જવાબદારી પૂરી કરવા માટે. હવે પાર્ટી મને બીજા ચૂંટણીક્ષેત્રમાં પ્રચાર માટે મોકલશે. આ કામ પૂરું થયા બાદ હું આપની વચ્ચે આવી જઈશ. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મેરઠને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મારા પ્રયાસો આરંભી દઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 09:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK