Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મુસ્લિમો વાપરે છે સૌથી વધુ કોન્ડોમ: પીએમ મોદી પર પ્રહાર કરતાં આ શું બોલી ગયા અસદુદ્દીન ઓવૈસી?

મુસ્લિમો વાપરે છે સૌથી વધુ કોન્ડોમ: પીએમ મોદી પર પ્રહાર કરતાં આ શું બોલી ગયા અસદુદ્દીન ઓવૈસી?

29 April, 2024 10:44 AM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi Attacked PM Modi)એ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે

અસદુદ્દીન ઓવૈસીની ફાઇલ તસવીર

અસદુદ્દીન ઓવૈસીની ફાઇલ તસવીર


એઆઈએમઆઈએમના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi Attacked PM Modi)એ વડાપ્રધાન મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું છે. વડાપ્રધાન પર સવાલ ઉઠાવતા ઓવૈસીએ કહ્યું છે કે, “તેમની એક જ ગેરંટી છે, દલિતો અને મુસ્લિમોને નફરત કરે છે.” દેશના વડાપ્રધાન અહીંના 15 ટકા લોકોને ઘૂસણખોરી કહે છે, આનાથી વધુ શરમજનક કંઈ ન હોઈ શકે એવો દાવો ઓવૈસીએ કર્યો હતો કે દેશમાં મુસ્લિમો કોન્ડોમનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

અસદુદ્દીન ઓવૈસીએ વડાપ્રધાન મોદી (Asaduddin Owaisi Attacked PM Modi)ના ભાષણ પર વળતો પ્રહાર કર્યો હતો. ઓવૈસીએ કહ્યું કે, “નરેન્દ્ર મોદી હિન્દુ ભાઈ-બહેનોને ડર બતાવી રહ્યા છે. એવું કહેવાય છે કે દેશમાં મુસ્લિમ બહુમતી બની જશે. આપણો ધર્મ ભલે જુદો હોય પણ આપણે પણ આ દેશના નાગરિક છીએ. છેવટે, તે શા માટે નફરતની દિવાલ બનાવવા માગે છે?”



ઓવૈસીએ કોન્ડોમ પર શું કહ્યું?


કેન્દ્ર સરકારના એક ડેટાનો ઉલ્લેખ કરતાં ઓવૈસી (Asaduddin Owaisi Attacked PM Modi)એ કહ્યું કે, “દેશમાં સૌથી વધુ બાળકો મુસ્લિમો પેદા કરે છે, પરંતુ સરકારી ડેટા કહે છે કે મુસ્લિમો આ દેશમાં સૌથી વધુ કોન્ડોમનો ઉપયોગ કરે છે અને મને આ કહેવામાં કોઈ શરમ નથી. વડાપ્રધાન દેશના મોટા ભાગના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

પીએમએ શું આપ્યું નિવેદન?


વડાપ્રધાન મોદીએ ચૂંટણી રેલી દરમિયાન કોંગ્રેસના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કરતા મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તમારી મિલકતો છીનવી લેશે અને ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વહેંચી દેશે. આ દરમિયાન તેણે મુસ્લિમોનું નામ લીધું હતું.

`મસ્જિદ પર ચાદર ચડાવશે, પણ બાળકીઓના માથેથી હિજાબ છીનવી લેશે`

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે (18 ફેબ્રુઆરી) મહારાષ્ટ્રના અકોલામાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે મેં સંસદમાં જે કહ્યું તે હું તમને ફરી એક વાર પુનરાવર્તિત કરું છું, ભારતના મુસ્લિમો પણ તે જ અનુભવી રહ્યા છે જે હિટલરના જમાનામાં યહૂદીઓએ કર્યું હતું.

પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખ્વાજા અજમેરીની દરગાહ પર ચાદર ચઢાવે છે, પરંતુ ખ્વાજા અજમેરી માટે આ કેવો પ્રેમ છે કે તમે અમારી પાસેથી મસ્જિદ છીનવી લેવા માંગો છો. તેણે આગળ કહ્યું કે આ કેવો પ્રેમ છે કે તમે મસ્જિદ પર ચાદર લગાવી દેશો પરંતુ અમારી છોકરીઓના માથા પરથી હિજાબ છીનવી લેશો. ઓવૈસીએ કહ્યું કે, દિલ્હીમાં 500 વર્ષ જૂની મસ્જિદને કોઈપણ સૂચના વિના તોડી પાડવામાં આવી.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 10:44 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK