Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે : અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો

અલગ-અલગ ધર્મના લોકો પણ લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે : અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Published : 01 April, 2026 10:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ નિર્ણયથી સમાજમાં એક નવો દૃષ્ટિકોણ અને સમજણ જાગશે એવી અપેક્ષા છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અલાહાબાદ હાઈ કોર્ટે તાજેતરમાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ ધર્મોના લોકો લિવ-ઇન રિલેશનશિપમાં રહી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે એ યુગલોને તેમના ધર્મના આધારે નહીં, પરંતુ બે પુખ્ત વ્યક્તિઓ તરીકે જુએ છે. બંધારણ આવાં યુગલોનું રક્ષણ કરે છે, તેમને તેમના જીવનસાથી સાથે રહેવાનો અધિકાર આપે છે.

આ નિર્ણય સામાજિક અને ધાર્મિક ભેદભાવનો સામનો કરતાં આંતરધાર્મિક યુગલો માટે મોટી રાહત છે. આ એવા પરિવારો માટે પણ મહત્ત્વપૂર્ણ છે જેમને તેમનાં બાળકોના લગ્નજીવનમાં આવા 
સંબંધો સ્વીકારવામાં મુશ્કેલી પડે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે લિવ-ઇન રિલેશનશિપમાં બન્ને વ્યક્તિઓની સ્વતંત્રતા અને પસંદગીનો સંપૂર્ણ આદર કરવો જોઈએ. કોઈ પણ યુગલ સાથે તેમના ધર્મના આધારે ભેદભાવ કરી શકાતો નથી. 



આ નિર્ણયથી સમાજમાં એક નવો દૃષ્ટિકોણ અને સમજણ જાગશે એવી અપેક્ષા છે. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે આંતરધાર્મિક લગ્નો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો ઉકેલ આવા લિવ-ઇન સંબંધો દ્વારા લાવી શકાય છે. આનાથી એવાં યુગલોને પણ હિંમત મળશે જેઓ સામાજિક કલંકના ડરથી પોતાની પસંદગી વ્યક્ત કરવામાં અચકાતાં હોય છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK