Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૫૦૦ રૂપિયાની નોટ બંધ નથી થવાની

૫૦૦ રૂપિયાની નોટ બંધ નથી થવાની

Published : 04 January, 2026 07:45 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર ફરતો મેસેજ ફેક છે એવી સ્પષ્ટતા કરી પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયા પર એવો મેસેજ ફરી રહ્યો છે કે ૫૦૦ રૂપિયાની નોટ માર્ચ મહિનાથી બંધ થવાની છે. આ મેસેજને સાચો માનીને લોકો પોતાના મિત્રો અને સંબંધીઓને પણ ફૉર્વર્ડ કરવા માંડ્યા હતા. જોકે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ એની સત્યતા તપાસી ત્યારે જણાઈ આવ્યું કે એ મેસેજ ખોટો છે; ૫૦૦ રૂપિયાની નોટ બંધ થવાની નથી, એ ચાલુ જ રહેશે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ એની પોસ્ટમાં કહ્યું હતું કે ‘કેટલાંક સોશ્યલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો છે કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા માર્ચ ૨૦૨૬થી ૫૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચી લેવાની છે. અમે એની સત્યતા તપાસી ત્યારે ખબર પડી કે એ દાવો ખોટો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આવી કોઈ જાહેરાત કરી નથી. ૫૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી નહીં હટાવાય, એ ચાલુ જ રહેશે એટલે ખોટી માહિતીને સાચી ન માની લો અને આવા જો કોઈ ન્યુઝ હોય તો એને ફૉર્વર્ડ કરતાં પહેલાં સત્તાવાર રીતે ચકાસી જુઓ. આવો કોઈ પણ નિર્ણય રિઝર્વ બૅન્ક દ્વારા લેવામાં આવ્યો નથી.’


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2026 07:45 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK