દિવ્યાંગોએ ટિકિટ બુક કરાવતી વખતે સરકારે તેમને આપેલું યુનિક આઇડેન્ટિટી કાર્ડ બતાવવાનું રહેશે.
ટ્રેનની ફાઈલ તસવીર
રેલવે મંત્રાલયે દિવ્યાંગ લોકો માટે ક્વોટાની જાહેરાત કરીને તેમને ખુશખબર આપી છે. રેલવે મંત્રાલયે દિવ્યાંગો માટે ક્વોટાને મંજૂરી આપી છે. રેલવેના નિર્ણય અનુસાર રાજધાની, શતાબ્દી, દુરન્તો, હમસફર, ગતિમાન અને વંદે ભારત સહિત તમામ એક્સપ્રેસ અને મેલ ટ્રેનોમાં દિવ્યાંગ ક્વોટા હશે. રેલવે મંત્રાલય દ્વારા દિવ્યાંગ માટે રિઝર્વ્ડ કવોટામાં કરવામાં આવેલા ફેરફાર અનુસાર હવે સ્લીપર કોચમાં ચાર બર્થ રિઝર્વ્ડ રહેશે. એમાં બે લોઅર અને બે મિડલ બર્થનો સમાવેશ થાય છે. થર્ડ એસી, થ્રર્ડ ઇકૉનૉમી ક્લાસમાં ચાર બર્થ રિઝર્વ્ડ રહેશે. એસી ચૅર કારમાં પણ ચાર સીટ રિઝર્વ્ડ રહેશે. દિવ્યાંગોએ ટિકિટ બુક કરાવતી વખતે સરકારે તેમને આપેલું યુનિક આઇડેન્ટિટી કાર્ડ બતાવવાનું રહેશે.