Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બહારગામની ટ્રેનોમાં ​દિવ્યાંગો માટેના અલાયદા ક્વોટાને મંજૂરી

બહારગામની ટ્રેનોમાં ​દિવ્યાંગો માટેના અલાયદા ક્વોટાને મંજૂરી

09 May, 2024 08:13 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવ્યાંગોએ ટિકિટ બુક કરાવતી વખતે સરકારે તેમને આપેલું યુનિક આઇડે​ન્ટિટી કાર્ડ બતાવવાનું રહેશે. 

ટ્રેનની ફાઈલ તસવીર

ટ્રેનની ફાઈલ તસવીર


રેલવે મંત્રાલયે દિવ્યાંગ લોકો માટે ક્વોટાની જાહેરાત કરીને તેમને ખુશખબર આપી છે. રેલવે મંત્રાલયે દિવ્યાંગો માટે ક્વોટાને મંજૂરી આપી છે. રેલવેના નિર્ણય અનુસાર રાજધાની, શતાબ્દી, દુરન્તો, હમસફર, ગતિમાન અને વંદે ભારત સહિત તમામ એક્સપ્રેસ અને મેલ ટ્રેનોમાં દિવ્યાંગ ક્વોટા હશે. રેલવે મંત્રાલય દ્વારા ​દિવ્યાંગ માટે રિઝર્વ્ડ કવોટામાં કરવામાં આવેલા ફેરફાર અનુસાર હવે સ્લીપર કોચમાં ચાર બર્થ રિઝર્વ્ડ રહેશે. એમાં બે લોઅર અને બે મિડલ બર્થનો સમાવેશ થાય છે. થર્ડ એસી, થ્રર્ડ ઇકૉનૉમી ક્લાસમાં ચાર બર્થ રિઝર્વ્ડ રહેશે. એસી ચૅર કારમાં પણ ચાર સીટ રિઝર્વ્ડ રહેશે. દિવ્યાંગોએ ટિકિટ બુક કરાવતી વખતે સરકારે તેમને આપેલું યુનિક આઇડે​ન્ટિટી કાર્ડ બતાવવાનું રહેશે. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 08:13 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK