Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમારે કંઈ કરવું હોય તો તમે વીજળીની ઝડપે કરી શકો છો, નવ મહિનાનું કામ ત્રણ દિવસમાં કરી દીધું

તમારે કંઈ કરવું હોય તો તમે વીજળીની ઝડપે કરી શકો છો, નવ મહિનાનું કામ ત્રણ દિવસમાં કરી દીધું

01 May, 2024 07:29 AM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડ સરકારે મોડે-મોડે પતંજલિની ૧૪ પ્રોડક્ટ્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં એ મુદ્દે સુપ્રીમ કોર્ટે ઠપકો આપીને કહ્યું...

બાબા રામદેવની તસવીર

બાબા રામદેવની તસવીર


ઉત્તરાખંડ સરકારે યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદની ૧૪ પ્રોડક્ટ્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધાં એ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે કહ્યું હતું કે ઉત્તરાખંડની રાજ્ય સરકાર મોડે-મોડે જાગી છે ખરી. 

સુપ્રીમ કોર્ટે ગઈ કાલે ઉત્તરાખંડ સરકારની લાઇસન્સિંગ ઑથોરિટીને પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતોના કેસમાં એની નિષ્ક્રિયતા માટે ઠપકો આપ્યો હતો. ઉત્તરાખંડ સ્ટેટ લાઇસન્સિંગ ઑથોરિટીએ ગઈ કાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અેણે પતંજલિ અને અેની બીજી કંપની દિવ્ય ફાર્મસીની ૧૪ પ્રોડક્ટ્સનાં લાઇસન્સ ૧૫ એપ્રિલથી અમલમાં આવે એ રીતે સસ્પેન્ડ કરી દીધાં છે. જે પ્રોડક્ટ્સનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે એમાં શ્વાસારી ગોલ્ડ સહિતનાં ૧૪ ઉત્પાદનોનો સમાવેશ થાય છે.



જોકે આ રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે ઑથોરિટીને ભારે ઠપકો આપ્યો હતો અને જણાવ્યું હતું કે ‘ઑથોરિટી હજી સુધી ઊંઘતી હતી અને હમણાં જ જાગી છે. આ દર્શાવે છે કે જો તમારે કંઈ કરવું હોય તો તમે વીજળીની ઝડપે કરી શકો છો, પણ જો તમારે કંઈ ન કરવું હોય તો વર્ષો સુધી કંઈ હલશે નહીં. માત્ર ત્રણ દિવસમાં તમે આ તમામ પગલાં લીધાં છે. છેલ્લા નવ મહિનાથી તમે શું કરી રહ્યા હતા? છેવટે તમને ખબર પડી ગઈ કે તમારી પાસે સત્તા છે અને જવાબદારી પણ છે. ઑથોરિટી જણાવે છે, અમે વિજિલન્ટ હતા, તો મહિનાઓ સુધી તમે કંઈ પગલાં કેમ લીધાં નહીં?’


બાબા રામદેવને કોર્ટનો આદેશ સમજાઈ ગયો
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘પતંજલિ આયુર્વેદે માફીની જાહેરાતમાં અેના સહ-સ્થાપક બાબા રામદેવનું નામ પણ પ્રકાશિત કરીને થોડું ઇમ્પ્રૂવમેન્ટ બતાવ્યું છે. પહેલાંની જાહેરાતમાં માત્ર પતંજલિ નામ હતું. અમે આની નોંધ લઈએ છીએ. તેમને કોર્ટનો આદેશ સમજાઈ ગયો છે. હવે જે ન્યુઝપેપરોમાં આ જાહેરાતો છપાઈ છે એની ઓરિજિનલ કૉપી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાની રહેશે.’ 
હવે સાતમી મેએ સુનાવણી થશે, પણ એમાં બાબા રામદેવ કે પતંજલિ આયુર્વેદના મૅનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને ઉપસ્થિત રહેવામાંથી છૂટ મળી છે.

IMAના પ્રેસિડન્ટની ટિપ્પણી પર કોર્ટ ખફા
બાબા રામદેવ સામેના કેસમાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA) ફરિયાદી છે અને સુપ્રીમ કોર્ટની કાર્યવાહીના મુદ્દે IMAના પ્રેસિડન્ટ આર. વી. અસોકને એક ન્યુઝ-એજન્સીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ IMA અને પ્રાઇવેટ ડૉક્ટરોની પ્રૅક્ટિસની ટીકા કરે છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે આ ઇન્ટરવ્યુની કૉપી કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. કોર્ટે કહ્યું હતું કે આ વધારે સિરિયસ બાબત છે, આનાં ગંભીર પરિણામો માટે તૈયાર રહો. 


Whatsapp-channel Whatsapp-channel

01 May, 2024 07:29 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK