૨૦૧૯-’૨૪ના કાર્યકાળમાં ૧૬.૨૪ ટકા રકમ વપરાયા વગર પડી રહી : ૫૧૮૫ કરોડ રૂપિયામાંથી ૮૪૨ કરોડ રૂપિયા વપરાયા જ નહીં
પાર્લામેન્ટ
સંતાનોને ખિસ્સાખર્ચી માટે પૈસા આપો અને એમાંથી તે બચત કરે તો માતાપિતાને ઘણું સારું લાગે, પણ જો કોઈ સેવાભાવી સંસ્થાને જરૂરિયાતમંદોની સેવા માટે દાન આપ્યું હોય અને એ વપરાય નહીં ત્યારે કેવું લાગે? બન્ને સ્થિતિમાં અલગ-અલગ ભાવ જન્મે. જોકે હવે એક એવી હકીકત સામે આવી છે જેમાં અનેક ભાવ અને અનેક સવાલ જાગે છે.
વાત જાણે એમ છે કે આપણે નવા સંસદસભ્યો ચૂંટી કાઢવા માટેની પ્રક્રિયા શરૂ તો કરી, પરંતુ ગયા વખતે જેમને આપણે પ્રતિનિધિ તરીકે સંસદમાં મોકલ્યા હતા એમાંથી ઘણા લોકોએ પોતાના મતવિસ્તારમાં વિકાસકાર્યો કરવા માટેના ભંડોળનો પૂરેપૂરો ઉપયોગ કર્યો નથી.