Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


સમારોહના આ પહેલા તબક્કામાં, કુલ 66 પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મ ભૂષણ અને 58 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. બાકીના પુરસ્કારો સમારોહના બીજા તબક્કા દરમિયાન એનાયત કરવામાં આવશે. (તસવીરો: એજન્સી અને સોશિયલ મીડિયા)

Padma Awards 2026: હાજી રમકડું, અરવિંદ વૈદ્ય સહિત 5 ગુજરાતીઓને પદ્મશ્રી એનાયત

રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે સાંજે આયોજિત પદ્મ પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા, 5 હસ્તીઓને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને પદ્મ શ્રી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, ગુજરાતની પાંચ અગ્રણી હસ્તીઓને પદ્મશ્રી ઍ એનાયત કરવામાં આવ્યો હતો. જે ગુજરાતીઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા તેમાં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કલા ક્ષેત્રે મીર હાજીભાઈ કાસમભાઈ ‘હાજી રમકડું’, સામાજિક કાર્ય માટે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલ, કલા ક્ષેત્રે ધાર્મિકલાલ ચૂનીલાલ પંડ્યા અને અભિનેતા-દિગ્દર્શક અરવિંદ વૈદ્યનો સમાવેશ થાય છે. (તસવીરો: એજન્સી અને સોશિયલ મીડિયા)

25 May, 2026 09:45 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર વીર ભૂમિ ખાતે કૉંગ્રેસના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર વીર ભૂમિ ખાતે કૉંગ્રેસના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

ગુરુવારે દિલ્હીના વીર ભૂમિ ખાતે કોંગ્રેસના નેતાઓએ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. કોંગ્રેસના નેતાઓએ તેમને દેશના યુવાનો અને ટેકનોલોજીકલ પ્રગતિ માટે કામ કરનારા સ્વપ્નદ્રષ્ટા નેતા તરીકે યાદ કર્યા.

21 May, 2026 03:25 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અ રહ્યા એ ગુજરાતીઓ

કલકત્તાના ગુજરાતીઓ પશ્ચિમ બંગાળમાં પરિવર્તનથી રાજીના રેડ

છેલ્લાં ૧૫ વર્ષથી પશ્ચિમ બંગાળમાં સત્તામાં રહેલાં મમતા બૅનરજીની સત્તા પરથી વિદાય અને ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીતથી વર્ષોથી ત્યાં વસેલા સ્થાનિક ગુજરાતીઓ ખુશખુશાલ છે. કલકત્તા અને આસપાસના વિસ્તારોમાં ગુજરાતીઓની ઘણી વસ્તી છે. તેમણે BJPને ખોબલે-ખોબલે મત આપ્યા છે એમાં કોઈ બેમત નથી. ‘મિડ-ડે’એ કલકત્તા અને એની આસપાસના વિસ્તારોમાં રહેતા ગુજરાતીઓ સાથે વાત કરીને ત્યાંના માહોલ અને BJP પાસેથી શું અપેક્ષા છે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો

05 May, 2026 09:05 IST | Kolkata | Varsha Chitaliya
નીલકંઠ વર્ણીની ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

અક્ષરધામ ખાતે નીલકંઠ વર્ણીની ૧૦૮ ફૂટ ઊંચી મૂર્તિનો પ્રતિષ્ઠા-મહોત્સવ ઊજવાયો

વિશ્વપ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની ૧૦૮ ફૂટ ઊંચી ભવ્ય મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન થયો હતો. ભગવાન સ્વામિનારાયણના બાળ તપસ્વી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરતી આ મૂર્તિ નીલકંઠ વર્ણીને એક પગ પર ગહન ધ્યાનમગ્ન અવસ્થામાં દર્શાવે છે. બાળ સ્વરૂપે ચાર માસ સુધી નિર્જલ અને નિરન્ન રહીને પુલહાશ્રમમાં કરેલા તપનું આ જીવંત પ્રતિબિંબ છે. માત્ર ૧૧ વર્ષની ઉંમરે શરૂ થયેલી સમગ્ર ભારતભરની તેમની સાત વર્ષની કલ્યાણયાત્રાનું આ દિવ્ય પ્રતિનિધિત્વ છે. આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન અને પાવન સાન્નિધ્યમાં અતિશય શ્રદ્ધા અને ભવ્યતા સાથે યોજાયો. વૈદિક વિધિઓ અને અનુષ્ઠાનોમાં વિશ્વભરમાંથી આવેલા હજારો હરિભક્તોએ ભાગ લીધો.

26 March, 2026 02:16 IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધીએ પાર્ટી કાર્યકરો અને નેતાઓ રંગો સાથે તહેવારની ઉજવણી કરી (તસવીરો: મિડ-ડે)

Photos: રાહુલ ગાંધીએ દિલ્હીમાં પાર્ટી ઑફિસમાં કૉંગ્રેસ કાર્યકરો સાથે હોળી ઉજવી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં AICC ના 24, અકબર રોડ કાર્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે હોળી રમી હતી. (તસવીરો: મિડ-ડે)

04 March, 2026 04:02 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અકસ્માતગ્રસ્ત બસ

નેપાળના ધાડિંગ જિલ્લામાં મોટો બસ અકસ્માત- ૧૮ લોકોનાં મોત

નેપાળના ધાડિંગ જિલ્લામાં ગજુરી પાસે સોમવારે વહેલી સવારે પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં ખાબકી જતાં ૧૮ લોકોનાં મોત થયાં હતાં.  (તસવીરો- પીટીઆઈ)

23 February, 2026 02:15 IST | Nepal | Gujarati Mid-day Correspondent
NCP સાંસદો સુનીલ તટકરે, પ્રફુલ પટેલ, જય પવાર અને પાર્થ પવાર પણ સુનેત્રા પવાર સાથે દિલ્હીની મુલાકાતે પહોંચ્યા હતા. (તસવીરો: એજન્સી)

સુનેત્રા પવારની દિલ્હી મુલાકાત: શાહને મળ્યા, PM મોદીએ DY CM ને આપ્યું આ આશ્વાસન

અજિત પવારનું વિમાન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ દરમિયાન, અજિત પવારના અવસાન પછી, સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા, ત્યારબાદ તેમણે મંગળવારે નાયબ મુખ્ય પ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ, સુનેત્રા પવાર આજે દિલ્હીની મુલાકાતે છે. તેઓ દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા હતા. (તસવીરો: એજન્સી)

11 February, 2026 06:22 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પોલીસના જણાવ્યા અનુસાર, ઓબેરોયને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. (તસવીરો: એજન્સી અને X)

Photos: પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા, તપાસ શરૂ

પંજાબના જાલંધરમાં શુક્રવારે સવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા લક્કી ઓબેરોયની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના જાલંધરના મોડેલ ટાઉન વિસ્તારમાં આવેલા એક ગુરુદ્વારાની બહાર બની હતી. હુમલાખોરોએ લક્કી ઓબેરોયને તેમની મહિન્દ્રા થાર એસયુવીમાં ગોળી મારી હતી. સીસીટીવી ફૂટેજમાં એક યુવક તેમની પાસે આવી રહ્યો હતો, તેમના પર ગોળીઓનો મારો ચલાવી રહ્યો હતો અને પછી ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. (તસવીરો: એજન્સી અને X)

06 February, 2026 03:05 IST | Punjab | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK