૪ દિવસ ચાલતા અત્યંત પવિત્ર અને કઠોર અનુષ્ઠાન સમાન ગણાતા છઠપર્વનો ગઈ કાલે ત્રીજો અને સૌથી મહત્ત્વનો દિવસ હતો. ત્રીજા દિવસની સાંજે ડૂબતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. આ પહેલાં અનેક શ્રદ્ધાળુઓએ પોતાની માનતા અને શ્રદ્ધા મુજબનું વ્રત કર્યું હતું અને સંધ્યાઅર્ઘ્ય પહેલાં આકરી તપસ્યાઓ કરી હતી. વેદિક શાસ્ત્ર અનુસાર આ ભક્તિ, સંયમ, પવિત્રતા અને તપ અનુષ્ઠાનનું પર્વ છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, દિલ્હી સહિત ભારતમાં ઠેર-ઠેર આ પર્વનો માહોલ જામ્યો હતો. આજે સવારે ઊગતા સૂર્યને અર્ઘ્ય આપીને છઠપર્વની પૂર્ણાહુતિ થશે.
28 October, 2025 12:19 IST | Kolkata | Gujarati Mid-day Correspondent