નરેન્દ્ર મોદીએ દરેક સ્વતંત્રતાદિને અલગ પ્રકારનો સાફો પહેરીને ઉજવણીને યાદગાર બનાવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભારતના ૭૯મા સ્વતંત્રતાદિનની ઉજવણીમાં દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશને સતત ૧૨મું સંબોધન કર્યું હતું. તેમની સિગ્નેચર સ્ટાઇલ પ્રમાણે તેમણે તેમનો એક પ્રતિષ્ઠિત સાફો પહેર્યો હતો, જેમાં તેજસ્વી રંગો સાથે ભારતીય સંસ્કૃતિનો સ્પર્શ સ્પષ્ટ નજરે પડતો હતો. ૨૦૧૪થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વતંત્રતાદિનના સાફા ઉજવણીનું મુખ્ય આકર્ષણ બની ગયા છે જે તેમના રંગો, પૅટર્ન અને પ્રાદેશિક પ્રેરણા દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. વર્ષોથી તેમના પ્રતિષ્ઠિત સાફા કેવી રીતે વિકસિત થયા છે એના પર એક નજર અહીં છે.
16 August, 2025 10:00 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent