Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલા એરફોર્સ સ્ટેશનથી ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઇટર જેટ ઉડાવ્યું

રાષ્ટ્રપતિએ રાફેલથી ભરી ઉડાન, લગભગ 30 મિનિટ આકાશમાં માણ્યો અવિસ્મરણીય અનુભવ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બુધવારે સવારે અંબાલા એરફોર્સ સ્ટેશન પર પહોંચ્યા હતા. સુરક્ષા કારણોસર, એરફોર્સ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

29 October, 2025 04:59 IST | Ambala | Gujarati Mid-day Correspondent
આજે ઊગતા સૂર્યને અર્ઘ્ય આપીને થશે આ પવિત્ર મહાપર્વની સમાપ્તિ

ડૂબતા સૂર્યને અર્ઘ્ય આપીને ભારતભરમાં ઊજવાયું છઠપર્વ

૪ દિવસ ચાલતા અત્યંત પવિત્ર અને કઠોર અનુષ્ઠાન સમાન ગણાતા છઠપર્વનો ગઈ કાલે ત્રીજો અને સૌથી મહત્ત્વનો દિવસ હતો. ત્રીજા દિવસની સાંજે ડૂબતા સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે છે. આ પહેલાં અનેક શ્રદ્ધાળુઓએ પોતાની માનતા અને શ્રદ્ધા મુજબનું વ્રત કર્યું હતું અને સંધ્યાઅર્ઘ્ય પહેલાં આકરી તપસ્યાઓ કરી હતી. વેદિક શાસ્ત્ર અનુસાર આ ભક્તિ, સંયમ, પવિત્રતા અને તપ અનુષ્ઠાનનું પર્વ છે. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, દિલ્હી સહિત ભારતમાં ઠેર-ઠેર આ પર્વનો માહોલ જામ્યો હતો. આજે સવારે ઊગતા સૂર્યને અર્ઘ્ય આપીને છઠપર્વની પૂર્ણાહુતિ થશે.

28 October, 2025 12:19 IST | Kolkata | Gujarati Mid-day Correspondent
પીયૂષ પાંડે (સૌજન્ય: મિડ-ડે)

PHOTOS: મુંબઈમાં એડવર્ટાઈઝિંગ જગતના દિગ્ગજ પીયૂષ પાંડેની અંતિમ વિદાય

મુંબઈમાં ઓગિલ્વીના ચીફ ક્રિએટિવ ઓફિસર વર્લ્ડવાઇડ અને એક્ઝિક્યુટિવ ચેરમેન ઇન્ડિયા પીયૂષ પાંડેનું 24 ઓકટોબરના રોજ ૭૦ વર્ષની વયે ન્યુમોનિયાની કારણે નિધન થયું હતું.

25 October, 2025 06:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી પર ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંત જહાજ પર નૌકાદળના કર્મચારીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી. (તસવીરો: એજન્સી)

પીએમ મોદીએ INS વિક્રાંત પર ભારતીય નેવીના જવાનો સાથે ઉજવી દિવાળી, જુઓ તસવીરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોના સંકલનની પ્રશંસા કરતા કહ્યું કે નૌકાદળની નિર્ભયતા, વાયુસેનાની કુશળતા અને સેનાની બહાદુરીએ પાકિસ્તાનને ઝડપથી શરણાગતિ સ્વીકારવા મજબૂર કર્યું. (તસવીરો: એજન્સી)

20 October, 2025 05:37 IST | Goa | Gujarati Mid-day Online Correspondent
આદિના મસ્જિદની પોસ્ટ પર યુઝર્સ અને બીજેપીએ દાવો કર્યો છે કે મુસ્લિમ શાસકોએ આદિનાથ મંદિર તોડી પાડ્યા પછી મસ્જિદ બનાવી હતી. (તસવીરો: સોશિયલ મીડિયા)

આદિના મસ્જિદ નહીં ‘આદિનાથ મંદિર’ પૂર્વ ક્રિકેટર-TMC સાંસદની પોસ્ટ પર BJPએ લખ્યું

પશ્ચિમ બંગાળના તૃણમૂલ કૉંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણની તાજેતરની માલદાની ઐતિહાસિક આદિના મસ્જિદની મુલાકાતે ઓનલાઈન અનેક પ્રતિક્રિયાઓ અને ચર્ચા જગાવી છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા યુસુફ પઠાણને યુઝર્સ તેમની એક ભૂલ બાવી રહ્યા છે. આ ઘટનામાં ભાજપ પણ કૂદયું અને તેને રાજકીય વળાંક આપ્યું. (તસવીરો: સોશિયલ મીડિયા)

17 October, 2025 07:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો- પીટીઆઈ

વડા પ્રધાનની બાપુને પુષ્પાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીની ૧૫૬મી જન્મજયંતિ નિમિત્તે રાજઘાટ પહોંચીને બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડા પ્રધાને બાપુના સત્ય, સેવા અને કરુણાના મૂલ્યોની પ્રશંસા કરી હતી અને `વિકસિત ભારત` માટે તેમના આદર્શો કેટલા સમકાલીન છે તે વિષે વાત કરી હતી.  (તસવીરો- પીટીઆઈ)

02 October, 2025 02:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું યોગેશ કરીકુર્વેને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: ડાન્સ, આર્ટ અને સંગીતના સથવારે ‘ધ હેપ્પીનેસ ફૅક્ટરી’ શરૂ કરી છે યોગીએ

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું મુંબઈના યોગેશ કરીકુર્વે (યોગી) જેમણે શરૂ કરી છે ‘ધ હેપ્પીનેસ ફૅક્ટરી’. ભારત સહિત વિદેશમાં વિવિધ એક્ટિવિટીઝ સાથે લોકોના માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે દેશ અને વિદેશમાં કાર્યશાળાઓનું આયોજન કરે છે. તો ચાલો જાણીએ શું થાય છે યોગીની ‘ધ હેપ્પીનેસ ફૅક્ટરી’માં.

01 October, 2025 03:50 IST | Mumbai | Viren Chhaya
દુર્ગાષ્ટમીની ઉજવણી

પૂર્વનાં રાજ્યોમાં ઠેર-ઠેર મચી છે દુર્ગાષ્ટમીની ધૂમ

નવરાત્રિનો પર્વ હવે જ્યારે અંતિમ તબક્કામાં છે ત્યારે ગઈકાલે અષ્ટમી નિમિત્તે પૂર્વ રાજ્યોમાં દુર્ગાષ્ટમીની ઉજવણી કરાઈ હતી. જુઓ તસવીરો

01 October, 2025 10:16 IST | Kolkata | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK