સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના ૧૩૦ સંસદસભ્યોએ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોએ આ પ્રસ્તાવ પર સહી કરી છે
જ્ઞાનેશકુમાર
લોકસભાના સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવમાં નિષ્ફળતા મેળવ્યા પછી હવે વિપક્ષ મુખ્ય ચૂંટણી-કમિશનર જ્ઞાનેશકુમારને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ લાવ્યો છે અને એ માટે અનેક સંસદસભ્યોએ નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાના ૧૩૦ સંસદસભ્યોએ અને રાજ્યસભાના ૬૩ સંસદસભ્યોએ આ પ્રસ્તાવ પર સહી કરી છે. શુક્રવારે સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે એવી સંભાવના છે. જોકે હજી સ્પષ્ટતા નથી કે પાર્લમેન્ટના કયા હાઉસમાં એને રજૂ કરવામાં આવશે. વિપક્ષના એક નેતાએ કહ્યું હતું કે સંસદસભ્યોએ ચૂંટણી-કમિશનરને હટાવવાના પ્રસ્તાવ માટે ખૂબ ઉત્સાહ બતાવ્યો હતો.
૭ આરોપો કહેવાય છે કે નોટિસમાં
ADVERTISEMENT
ચૂંટણી-કમિશનરની વિરુદ્ધ ૭ આરોપો લગાવવામાં આવ્યા છે. એમાં પદ પર રહીને પક્ષપાતપૂર્ણ અને ભેદભાવવાળું આચરણ છે. ચૂંટણીના ફ્રૉડ કેસોની તપાસમાં જાણી-કરીને અવરોધો નાખવાનો આરોપ છે. મોટા પાયે મતદાતાઓને મતાધિકારથી વંચિત કરવાનો આરોપ પણ તેમના wwપર લગાવવામાં આવ્યો છે. વિપક્ષી દળોએ અનેક વાર ચૂંટણી-કમિશનર પર સત્તાધારી પાર્ટીની મદદ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ખાસ કરીને સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા કેન્દ્રમાં સત્તા ધરાવતી પાર્ટીને લાભ આપવાના ઉદ્દેશથી થઈ રહી છે.
