કૉંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પાકિસ્તાન પાસે પણ એટમ બોમ્બ છે જેથી ભારતે તેમનું સન્માન કરવું જોઈએ, એવું નિવેદન આપીને નવો રાજકીય વિવાદ ઉભો કર્યો છે. અય્યરે 15 એપ્રિલે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે “પાકિસ્તાન એક આદરણીય રાષ્ટ્ર છે, જેમની પાસે અણુ બોમ્બ પણ છે. તેથી ભારતે તેમની સાથે વાતચીત કરવી જોઈએ. અય્યરના આ નિવેદન પર ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું હતું કે “કૉંગ્રેસના પહેલા પરિવારની નજીક રહેલા મણિશંકર અય્યર કૉંગ્રેસ તરફથી પાકિસ્તાનની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે.