લોકસભા ચૂંટણીના પ્રચારમાં સુરેન્દ્રનગરમાં એક જાહેર રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2 મેના રોજ કહ્યું હતું કે કૉંગ્રેસ હિંદુ ધર્મમાં ભેદભાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, “કૉંગ્રેસ હિન્દુ ધર્મો વચ્ચે ભેદભાવ કરવાનો પ્રયાસ કરી રહી છે. મલ્લિકાર્જુન ખડગેએ ભગવાન રામ અને ભગવાન શિવને લઈને ખૂબ જ ખતરનાક નિવેદન આપ્યું છે. તે નિવેદન દૂષિત ઈરાદાથી આપવામાં આવ્યું છે. આ શિવ અને રામ ભક્તો વચ્ચે વૈમનસ્ય પેદા કરવા માટે છે. આ હજારો વર્ષ જૂની પરંપરા છે જેને મુઘલો પણ તોડી શક્યા નથી, કોંગ્રેસ કેવી રીતે કરશે. એક મહિના પહેલા તેમના શહેજાદાએ કહ્યું હતું કે તે શક્તિનો નાશ કરશે. આપણે શક્તિના ઉપાસક છીએ. શહેઝાદાએ કહ્યું કે તે શક્તિનો નાશ કરશે. શું શક્તિના ભક્તો આને માફ કરી શકે?"