Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રેલવે-સ્ટેશન પર વેન્ટિલેશન માટે લીલો ગુંબજ બનાવેલો, લોકો ત્યાં આવીને નમાજ પઢવા લાગ્યા

રેલવે-સ્ટેશન પર વેન્ટિલેશન માટે લીલો ગુંબજ બનાવેલો, લોકો ત્યાં આવીને નમાજ પઢવા લાગ્યા

Published : 19 February, 2026 10:49 AM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખરે રેલવે-પ્રશાસને લીલો ગુંબજ ત્યાંથી હટાવી દીધો હતો અને એને છતના બીજા કિનારે મૂકી દીધો હતો

ગુંબજ

અજબ ગજબ

ગુંબજ


ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના પિપરાઇચ ટાઉનના નવા બનેલા રેલવે-સ્ટેશન પર હવાની અવરજવર સારી રહે એ માટે એક ગુંબજ બનાવવામાં આવ્યો હતો. આ ગુંબજને લીલો રંગ કરવામાં આવ્યો હોવાથી કેટલાક લોકો એને પવિત્ર સ્થળ સમજવા લાગ્યા હતા. લીલા ગુંબજને જોઈને કેટલાક લોકો એની નીચે આવીને નમાજ પઢવા લાગ્યા હતા. એને કારણે સાર્વજનિક જગ્યા પર ભીડ જમા થવા લાગી હતી. આખરે રેલવે-પ્રશાસને લીલો ગુંબજ ત્યાંથી હટાવી દીધો હતો અને એને છતના બીજા કિનારે મૂકી દીધો હતો. હવે આ જગ્યાએ ઍસ્બેસ્ટોસની શીટથી બીજો ગુંબજ બનાવવામાં આવશે અને એને અલગ રંગ આપવામાં આવશે જેથી કોઈ પણ ધર્મના લોકો એને ધાર્મિક સ્થળ ન સમજી લે. 


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 10:49 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK