Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દેશપ્રેમને લીધે વિદેશ જઈને કામ કરવા માગતા ભારતીયોની સંખ્યા ઘટી

દેશપ્રેમને લીધે વિદેશ જઈને કામ કરવા માગતા ભારતીયોની સંખ્યા ઘટી

05 May, 2024 02:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૦માં જ્યાં ૭૮ ટકા પ્રોફેશનલો વિદેશ જઈ કામ કરવા આતુર હતા ત્યાં ૨૦૨૩માં આ ટકાવારી ઘટીને ૫૪ ટકા થઈ ગઈ છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતના બદલે વિદેશમાં જઈને કામ કરવા માટેનો ભારતીયોનો મોહ હવે ધીમે-ધીમે ઘટી રહ્યો છે. ૨૦૨૦માં જ્યાં ૭૮ ટકા પ્રોફેશનલો વિદેશ જઈ કામ કરવા આતુર હતા ત્યાં ૨૦૨૩માં આ ટકાવારી ઘટીને ૫૪ ટકા થઈ ગઈ છે. બૉસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવેલી ઇન્ટરનૅશનલ મોબિલિટી ટ્રેન્ડ્સની સ્ટડીમાં આ જાણકારી આપવામાં આવી છે. આશરે ૧૮૮ દેશોની ૧.૫ લાખ વર્કફોર્સને આ સ્ટડીમાં સામેલ કરવામાં આવી હતી અને એમાં જાણવા મળ્યું હતું કે ૫૯ ટકા ભારતીય રિસ્પૉન્ડન્ટ્સને તેમના દેશમાંથી બીજા દેશમાં જવાની ઇચ્છા નહોતી. આના માટે તેમણે દેશ સાથે ભાવનાત્મક જોડાણનું કારણ આપ્યું હતું. વિશ્વમાં ૩૩ ટકા લોકો વિદેશમાં જવા તૈયાર નહોતા, પણ ભારતીયોની વિદેશમાં નહીં જવાની ટકાવારી વધારે છે જે દર્શાવે છે કે ભારતીયો હવે દેશમાં જ રહીને વધારે પ્રગતિ કરવા માગે છે અને સાથે-સાથે પરિવાર સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવવા માગે છે. આપણા દેશમાં હવે અપાર તકો પણ ઊભી થઈ રહી છે અને એથી આવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

05 May, 2024 02:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK