સુરતના સત્ય સેવા જીવદયા ટ્રસ્ટે સ્વતંત્રતાદિવસની ઉજવણી માટે ૨૦૦૦ કિલો શાકભાજીમાંથી ૩૫x૨૧ ફુટનો જાયન્ટ તિરંગો બનાવ્યો. ઉજવણી બાદ આ શાકભાજી ગાયોને અર્પણ કરવામાં આવ્યું.
સુરતમાં બન્યો ૨૦૦૦ કિલો શાકભાજીનો તિરંગો
સુરતના સત્ય સેવા જીવદયા ટ્રસ્ટે સ્વતંત્રતાદિવસની ઉજવણી માટે એક જાયન્ટ તિરંગાની રચના કરી હતી. એ માટે લીલાં અને ત્રિરંગી શાકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૩૫ ફુટ બાય ૨૧ ફુટનો જાયન્ટ તિરંગો બનાવવા માટે લગભગ ૨૦૦૦ કિલો શાકભાજી વપરાયાં હતાં. ઉજવણી પૂરી થયા પછી આ શાકભાજી ગાયોને અર્પણ કરવામાં આવ્યાં હતાં.
