Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ચારધામની યાત્રા કરનારે ખાસ ધ્યાન રાખવું ઉત્તરાખંડમાં બાય રોડ ટ્રાવેલ કરવા માટે કચરાની થેલી સાથે રાખવી પડશે

ચારધામની યાત્રા કરનારે ખાસ ધ્યાન રાખવું ઉત્તરાખંડમાં બાય રોડ ટ્રાવેલ કરવા માટે કચરાની થેલી સાથે રાખવી પડશે

27 July, 2024 02:35 PM IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિક્કિમની સરકારે હાલમાં એક નિયમ બનાવ્યો છે.

ચાર ધામ

લાઇફમસાલા

ચાર ધામ


દેશને સ્વચ્છ અને સાફસૂથરું રાખવા માટે હવે દરેક રાજ્ય ધીમે-ધીમે એ તરફ પ્રયાણ કરી રહ્યું છે. સિક્કિમની સરકારે હાલમાં એક નિયમ બનાવ્યો છે. આ નિયમ અનુસાર તેમના સ્ટેટમાં દાખલ થતી દરેક કારમાં કચરો ફેંકવાની થેલી અથવા તો ડસ્ટબિન હોવું જોઈશે. આવો નિયમ ગોવામાં છે અને હવે ઉત્તરાખંડમાં પણ એ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડમાં હવે ટ્રિપ-કાર્ડ લૉન્ચ કરવામાં આવ્યું છે જે દરેક વ્યક્તિ માટે લેવું જરૂરી હશે. આ ટ્રિપ-કાર્ડ ત્યારે જ મળશે જ્યારે કારનાં પેપર્સ, પૉલ્યુશન અન્ડર કન્ટ્રોલ સર્ટિફિકેટ, ઇન્શ્યૉરન્સ પેપર અને કારમાં કચરો ફેંકવા માટેની વ્યવસ્થા છે કે નહીં એ જોવાશે અને ત્યાર બાદ જ આ ટ્રિપ-કાર્ડ આપવામાં આવશે. ઉત્તરાખંડની સરકારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને એ માટેની જવાબદારી સોંપી છે. રાજ્યમાં દાખલ થતી કારમાં કચરો રાખવાની વ્યવસ્થા છે કે નહીં એ ચેક કરવાની જવાબદારી તેમના પર છે. ખાસ કરીને ચારધામની યાત્રા દરમ્યાન ખૂબ કચરો થાય છે એથી સરકારે આ રૂટ પર ખાસ તકેદારી રાખવાની સૂચના આપી છે. જો કોઈ વ્યક્તિ નિયમનું ઉલ્લંઘન કરશે તો તેને દંડ ફટકારવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 02:35 PM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK