Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પાળેલા કૂતરાનાં અસ્થિ હરિદ્વારમાં વિસર્જિત કર્યાં અને એ પછી વિધિવત્ તેરમું પણ કર્યું

પાળેલા કૂતરાનાં અસ્થિ હરિદ્વારમાં વિસર્જિત કર્યાં અને એ પછી વિધિવત્ તેરમું પણ કર્યું

Published : 22 January, 2026 11:44 AM | IST | Haridwar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હરિયાણાના પાણીપતમાં ઍડ્વોકેટ બલવીર પનવારે પોતાના ડૉગી રૉકીના મોત પર એને ખૂબ ભાવપૂર્વક વિદાય આપી હતી

પહેલી ફેબ્રુઆરીએ રૉકીનો બર્થ-ડે હતો અને તેઓ દર વર્ષે રૉકીની ગેરહાજરીમાં પણ એ દિવસને મનાવશે.

અજબ ગજબ

પહેલી ફેબ્રુઆરીએ રૉકીનો બર્થ-ડે હતો અને તેઓ દર વર્ષે રૉકીની ગેરહાજરીમાં પણ એ દિવસને મનાવશે.


હરિયાણાના પાણીપતમાં ઍડ્વોકેટ બલવીર પનવારે પોતાના ડૉગી રૉકીના મોત પર એને ખૂબ ભાવપૂર્વક વિદાય આપી હતી. અંતિમ સંસ્કાર વિધિવત્ કરવા ઉપરાંત રૉકીનાં અસ્થિનું વિસર્જન હરિદ્વાર જઈને ગંગામાં કરવામાં આવ્યું હતું. રૉકીને ઘરના જ સભ્યની જેમ ઉછેરનાર પરિવારે એના ગયા પછી વિધિવત્ તેરમાની વિધિ કરીને વિશાળ ભંડારો યોજ્યો હતો જેમાં સગાંસંબંધીઓ, મિત્રો અને સોસાયટીના લોકોને જમાડવામાં આવ્યા હતા. રૉકીને કિડનીની તકલીફ હતી એટલે એ લાંબા સમયથી બીમાર હતો. અનેક ડૉક્ટરોને બતાડ્યા પછી પણ એની સારવાર શક્ય નહોતી બની શકી. પહેલી ફેબ્રુઆરીએ રૉકીનો બર્થ-ડે હતો અને તેઓ દર વર્ષે રૉકીની ગેરહાજરીમાં પણ એ દિવસને મનાવશે. 


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2026 11:44 AM IST | Haridwar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK