Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઘરઆંગણે ભારતનો કારમો પરાજય પચાવી શકાય એમ નથી, ઇન્ડિયા-A ટીમ પણ સાઉથ આફ્રિકાને હરાવી શકે છે : ચેતેશ્વર પુજારા

ઘરઆંગણે ભારતનો કારમો પરાજય પચાવી શકાય એમ નથી, ઇન્ડિયા-A ટીમ પણ સાઉથ આફ્રિકાને હરાવી શકે છે : ચેતેશ્વર પુજારા

Published : 18 November, 2025 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેતેશ્વર પુજારાએ કલકત્તા ટેસ્ટ-મૅચમાં ટીમ ઇન્ડિયાની ૩૦ રનની શરમજનક હાર માટે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારા


ભારતના ભૂતપૂર્વ સ્ટાર બૅટર ચેતેશ્વર પુજારાએ કલકત્તા ટેસ્ટ-મૅચમાં ટીમ ઇન્ડિયાની ૩૦ રનની શરમજનક હાર માટે ભારતીય ટીમ મૅનેજમેન્ટ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. સિનિયર પ્લેયર્સની નિવૃત્તિને કારણે ભારતીય ટીમ પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે. આ વિશે કૉમેન્ટેટર પૅનલની ચર્ચા દરમ્યાન ચેતેશ્વર પુજારાએ કહ્યું હતું કે ‘હું એ વાત સાથે સહમત નથી કે પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું હોવાથી ભારત ઘરઆંગણે હાર્યું છે. હું એ વિચારને પચાવી શકતો નથી કે ભારત ઘરઆંગણે હારી ગયું. જો તેઓ ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડમાં હારી જાય તો એ વાત ઠીક છે.’ ‍

તે વધુમાં કહે છે કે ‘આ નવી ટીમમાં પ્રતિભાને જોતાં ભારતનું ઘરઆંગણે હારવું અસ્વીકાર્ય છે. બધા ખેલાડીઓના ફર્સ્ટ-ક્લાસ રેકૉર્ડ શાનદાર છે છતાં જો આપણે હારી જઈએ તો એનો અર્થ એ છે કે કંઈક ગરબડ છે. જો આપણે આ મૅચ સારી પિચ પર રમી રહ્યા હોત તો ભારત કદાચ જીતી ગયું હોત. આવી ટર્નિંગ પિચ પર તમે વિરોધી ટીમને પણ જીતવાની સમાન તક આપી રહ્યા છો. આપણી પાસે એટલી પ્રતિભા છે કે ભારત-A પણ સાઉથ આફ્રિકા સામે મૅચ જીતી શકે છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

18 November, 2025 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK