ભવિષ્યમાં શ્રેયસ ઐયર વન-ડે કૅપ્ટન પણ બની શકે છે, ઇંગ્લૅન્ડ ટૂર ચૂકી જવાથી તેની કરીઅર સમાપ્ત નથી થઈ : હરભજન સિંહ
શ્રેયસ ઐયર અને હરભજન સિંઘ
મુંબઈના સ્ટાર બૅટર શ્રેયસ ઐયરની વધુ એક ભૂતપૂર્વ ક્રિકેટરે પ્રશંસા કરી છે. ભૂતપૂર્વ ભારતીય ઑલરાઉન્ડર હરભજન સિંહે કહ્યું કે ‘શ્રેયસ ઐયર ખૂબ જ સારો પ્લેયર છે. તેણે વન-ડે ક્રિકેટમાં પોતાને સાબિત કર્યો છે. વર્લ્ડ કપ, ચૅમ્પિયન્સ ટ્રોફી અને IPLમાં સારું પ્રદર્શન કર્યું છે. હા તે ટીમમાં હોવો જોઈતો હતો, પરંતુ કદાચ સિલેક્ટર્સ તેને હાલમાં રેડ-બૉલ પ્લેયર તરીકે જોતા નથી. જો હું સિલેક્શન કમિટીનો ભાગ હોત તો મેં તેના નામ પર વિચાર કર્યો હોત, પરંતુ આ અંત નથી, તેની સફર લાંબી છે અને તે ભવિષ્યમાં વન-ડે કૅપ્ટન પણ બની શકે છે. ઇંગ્લૅન્ડ ટૂર ચૂકી જવાનો અર્થ એ નથી કે તેની કરીઅર સમાપ્ત થઈ ગઈ છે.’

