Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ચૅમ્પિયન બન્યા બાદ કોને ICC રૅન્કિંગ્સમાં થયો ફાયદો

ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ચૅમ્પિયન બન્યા બાદ કોને ICC રૅન્કિંગ્સમાં થયો ફાયદો

Published : 14 May, 2025 08:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ચૅમ્પિયન બન્યા બાદ ભારતની સ્મૃતિ, જેમિમા અને સ્નેહ રાણાને ICC રૅન્કિંગ્સમાં થયો ફાયદો,

સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ,  સ્નેહ રાણા

સ્મૃતિ માન્ધના, જેમિમા રૉડ્રિગ્સ, સ્નેહ રાણા


શ્રીલંકામાં હાલમાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ભારતને ચૅમ્પિયન બનાવવામાં વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના (૨૬૪ રન), સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ (૨૪૫ રન) અને સ્પિનર સ્નેહ રાણા (૧૫ વિકેટ)એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રદર્શનની અસર ICC વિમેન્સ વન-ડે રૅન્કિંગ્સમાં જોવા મળી છે. 


વિમેન્સ વન-ડે બૅટરના રૅન્કિંગ્સમાં સાઉથ આફ્રિકાની કૅપ્ટન લૉરા વૉલ્વાર્ટ (૭૩૮ રેટિંગ પૉઇન્ટ) બાદ એક સ્થાનના ફાયદા સાથે સ્મૃતિ (૭૨૭) બીજા ક્રમે પહોંચી છે, જ્યારે જેમિમા (૬૦૬) પાંચ સ્થાનના ફાયદા સાથે પંદરમા ક્રમે પહોંચી છે. વિમેન્સ વન-ડે બોલર્સના રૅન્કિંગ્સમાં સ્નેહ રાણા (૪૪૦ રેટિંગ પૉઇન્ટ) ચાર સ્થાનના ફાયદા સાથે ૩૪મા ક્રમે પહોંચી છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK