Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સરસ્વતી સાધના ફાઉન્ડેશન દ્વારા પહેલીવાર યોજાશે અષ્ટાવધાન

29 February, 2024 07:16 IST | Mumbai

સરસ્વતી સાધના ફાઉન્ડેશન દ્વારા પહેલીવાર યોજાશે અષ્ટાવધાન

સરસ્વતી સાધના રિસર્ચ ફાઉન્ડેશન અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા 350 વર્ષ બાદ પ્રથમવાર જૈન મુનિ દ્વારા અષ્ટાવધાન થશે. મુનિ પદ્મપ્રભચંદ્રસાગરજી મ.સા. દ્વારા અષ્ટાવધાનનો કાર્યક્રમ ગોરેગાંવ, જવાહરનગર ખાતે 3 માર્ચના સવારે 9 કલાકે યોજાશે. મુનિ પદ્મપ્રભચંદ્રસાગરજી મ.સા. પોતાના મનની અને આત્માની અગાધ અને અપૂર્વ શક્તિનો પરિચય આ અષ્ટાવધાન પ્રયોગમાં આપશે. અવધાન એ આર્ય સંસ્કૃતિએ દુનિયાને આપેલી ભેટ છે.

અવધાન એટલે ધારણા શક્તિનો વિશિષ્ટ વિકાસ. જૈન ધર્મના પાંચ જ્ઞાન પૈકી મતિજ્ઞાનના વિશ્વમાં પાંચ ઈન્દ્રિયો અને તેમની ધારણાનો વિષય આવે છે. આ અવધાનમાં જોડાવા માટે ગોરેગાંવ, જવાહરનગર જૈન સંઘ શ્વે.મૂ.પૂ. સંઘ, આરાધના ભવન, ગોરેગાંવ (વેસ્ટ) કાંદિવલી મુંબઈ ખાતે સંપર્ક કરી પાસ મેળવી શકાશે.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK