તેમના નિધનના સમાચાર ખુશાલી જરીવાલાની ઇન્સટગ્રામ સ્ટોરી દ્વારા જાણવા મળ્યાં હતાં
અભિનેત્રી અપરા મહેતાનાં માતા મંદાકિની મહેતા
‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ અને ‘એક મહેલ હો સપનો કા’ જેવી અનેક ટીવી સિરિયલોમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનારા અપરા મહેતાનાં માતાનું અવસાન થયું છે. તેમનાં માતા મંદાકિની મહેતા ૯૧ વર્ષના હતાં. તેઓ તેમના અભિનેત્રી પુત્રી તથા લેખક અભિનેત્રી દોહિત્રી ખુશાલી જરીવાલા સાથે રહેતાં હતાં.
તેમના નિધનના સમાચાર ખુશાલી જરીવાલાની ઇન્સટગ્રામ સ્ટોરી દ્વારા જાણવા મળ્યાં હતાં.
ADVERTISEMENT
View this post on Instagram
થોડા સમય પહેલાં અપરા મહેતાએ પોતાના માતા અને દીકરી ખુશાલી સાથેની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
ભૂતકાળમાં ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે પોતાના માતા વિશે વાત કરતાં અપરા મહેતાએ જણાવ્યું હતું કે “માની સાથે વાતોના તડાકા મારવા બેસીએ તો કલાકો ક્યાં પસાર થઈ જાય તે કળવું મુશ્કેલ છે. અમે ત્રણ જુદી-જુદી પેઢીની સ્ત્રીઓ એકસાથે ખૂબ મજાથી રહીએ છીએ.”
અપરા મહેતાના વ્યક્તિત્વ પરથી તેમના માતાની પ્રતિભા કેવી હોય શકે તેની કલ્પના કરવી રહી. મંદાકિની મહેતાની વિદાયથી તેમના પરિવારને જે ખોટ સાલી છે તેમાં સ્વસ્થતા જાળવવા ઈશ્વર તેમને શક્તિ આપે.