કોર્ટે કહ્યું કે આ મુદ્દાનો એક ઉકેલ "પોપ-અપ માર્કેટ" અથવા "મોબાઈલ વેન્ડર્સ"નો પ્રસ્તાવિત ખ્યાલ હોઈ શકે છે. પોપ-અપ બજારોમાં, શેરી વિક્રેતાઓને કડક દેખરેખ હેઠળ ચોક્કસ સ્થળે અને સમયે દુકાનો સ્થાપવાની મંજૂરી આપવામાં આવે છે.
બૉમ્બે હાઇ કૉર્ટ (ફાઈલ તસવીર)
બૉમ્બે હાઈકૉર્ટે એક મોટો નિર્ણય આપ્યો છે કે ગેરકાયદેસર ફેરીયાવાળા મુંબઈમાં સાર્વજનિક સ્થળે સ્થાયી રૂપે કબજો કરી શકે નહીં. આ નિર્ણય 16 એપ્રિલના એક આદેશ બાદ ગુરુવાર, 24 એપ્રિલના રોજ સાર્વજનિક કરવામાં આવ્યો. ખંડપીઠમાં સામેલ જસ્ટિસ ગૌતમ પટેલ અને જસ્ટિલ કમલે કહ્યું કે એક વ્યક્તિના અધિકારોથી બીજા અધિકારોનું હનન ન થવું જોઈએ. તેમણે પગપાળાં ચાલનારા લોકો માટે સ્વતંત્ર અને સુરક્ષિત માર્ગ જાળવી રાખવાના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો.
બૉમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે શહેરમાં લાઇસન્સ વિનાના વિક્રેતાઓનો મુદ્દો પોતાની જાતે જ ઉઠાવ્યો હતો. ખંડપીઠે મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "આ શહેર કોના માટે છે?" ન્યાયાધીશોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જાહેર ફૂટપાથ અને રસ્તાઓ પર લાઇસન્સ વિનાના વિક્રેતાઓ દ્વારા કાયમી ધોરણે કબજો કરી શકાય નહીં. તેમણે કહ્યું કે આવી સ્થિતિ બંધારણના અનુચ્છેદ 21 અને અનુચ્છેદ 14 વચ્ચે સંઘર્ષ સર્જશે.
ADVERTISEMENT
બૉમ્બે હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર શેરી વિક્રેતા માટે જાહેર માર્ગ પર કાયમી સ્થિતિનો દાવો કરવો અકલ્પનીય છે. તેમણે કહ્યું કે આવા દાવાને સ્વીકારી શકાય નહીં કારણ કે તે કરદાતાઓના બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
કોર્ટે કહ્યું કે આ મુદ્દાનો એક ઉકેલ "પોપ-અપ માર્કેટ" અથવા "મોબાઈલ વેન્ડર્સ"નો પ્રસ્તાવિત ખ્યાલ હોઈ શકે છે. પોપ-અપ બજારોમાં, શેરી વિક્રેતાઓને કડક દેખરેખ હેઠળ ચોક્કસ સ્થળે અને સમયે દુકાનો સ્થાપવાની મંજૂરી આપવામાં આવે છે. તેમના ફાળવવામાં આવેલા સમય પછી, હોકરોએ સ્થળને સામાન્ય લોકો માટે ફરીથી ખોલવામાં આવે તે પહેલાં તે વિસ્તાર ખાલી કરવો પડશે.
ખંડપીઠે સ્ટ્રીટ વેન્ડિંગ માટે જારી કરાયેલા તમામ લાઇસન્સનો ડેટાબેઝ બનાવવા અને જાળવવાનું પણ સૂચન કર્યું હતું. આનાથી સ્થિતિનું નિરીક્ષણ અને નિયંત્રણ કરવામાં સરળતા રહેશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) કમિશનરને આ ભલામણો પર વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસની આગામી સુનાવણી 24મી જૂને રાખવામાં આવી છે.
મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટમાં સૌથી મહત્ત્વના કમ્પોનન્ટ ગણાતા ૨૦૦૦ મેટ્રિક ટનના આર્ચ બ્રિજને બુધવારે રાતે માઝગાવ ડોકના ન્હાવા યુનિટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને એને ટગ-બોટ દ્વારા એના ફિટિંગ પૉઇન્ટ તરફ ખેંચીને લઈ જવામાં આવ્યો હતો. આ આર્ચ બ્રિજને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડવાના કામનો આરંભ શુક્રવારની વહેલી સવારથી શરૂ કરવાનું નિર્ધારિત હતું અને શનિવારનો દિવસ પણ આ કામ માટે રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. વેધર કંડિશન ખરાબ હોય તો આ કામમાં મુશ્કેલી આવી શકે એમ હોવાથી આમ કરવામાં આવ્યું છે.
બ્રિજને લઈ જતા બાર્જનું પોતાનું કોઈ એન્જિન નથી એટલે એને ત્રણ ટગ-બોટ દ્વારા ખેંચીને લઈ જવામાં આવ્યો હતો. આ આર્ચ બ્રિજ મુંબઈ કોસ્ટલ રોડની જમણી તરફના ભાગને બાંદરા-વરલી સી-લિન્ક સાથે જોડશે.