તેને હાલમાં હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી
અંશુલા કપૂર
બોની કપૂરે જણાવ્યું છે કે તેમની દીકરી અંશુલા કપૂર હેલ્ધી છે અને તેને ડિસ્ચાર્જ મળી ગયો છે. તેને હાલમાં હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એ જ હૉસ્પિટલમાં દિલીપકુમારને પણ દાખલ કરવામાં આવ્યા છે.
અર્જુન કપૂરની બહેન અંશુલાને રૂટીન ચેક-અપ માટે ઍડ્મિટ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં તેને મળવા માટે જાહ્નવી કપૂર પહોંચી હતી અને ત્યાર બાદ બોની કપૂર પણ ગયા હતાં અંશુલાની હેલ્થની માહિતી આપતાં બોની કપૂરે કહ્યું હતું કે ‘અંશુલાને રૂટીન ચેક-અપ અને ટેસ્ટ માટે દાખલ કરવામાં આવી હતી. તે સ્વસ્થ છે અને હવે ઘરે આવી ગઈ છે. તેના સ્વાસ્થ્યને લઈને લોકોએ ચિંતા કરવાની અને સ્ટ્રેસ લેવાની જરૂર નથી.’