Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં એટલે કે ૬:૩૦ વાગ્યા પહેલાં લઈ લો

સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં એટલે કે ૬:૩૦ વાગ્યા પહેલાં લઈ લો

Published : 24 March, 2026 09:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય કુમારે ફૅન્સ સાથે શૅર કરી તેની ફિટનેસ-ટિપ

અક્ષય કુમારની ફાઇલ તસવીર

અક્ષય કુમારની ફાઇલ તસવીર


બૉલીવુડની ફિટ સેલિબ્રિટીમાં અક્ષય કુમારનું નામ હંમેશાં આગળ આવે છે. ઑનસ્ક્રીન અને ઑફસ્ક્રીન અક્ષયની ફિટનેસ માટેની મહેનત અને ડેડિકેશન ફૅન્સને હંમેશાં આશ્ચર્યચકિત કરી દે છે. હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ૫૮ વર્ષના અક્ષય કુમારે પોતાનો ફિટનેસ-મંત્ર શૅર કર્યો હતો. તેણે કહ્યું કે ‘હું હંમેશાં એક જ વાત કહું છું કે સાંજનું ભોજન સૂર્યાસ્ત પહેલાં એટલે કે સાંજે ૬:૩૦ વાગ્યા પહેલાં લઈ લો. બસ, આનાથી મોટો મંત્ર જીવનમાં બીજો કોઈ નથી. ડૉક્ટર પણ તમને એ જ સલાહ આપશે.’

અક્ષય કુમારે ખાસ ચેતવણી આપતાં કહ્યું કે ‘આજકાલ ઘણા લોકો સિક્સ-પૅક અથવા એઇટ-પૅક બનાવવા માટે સ્ટેરૉઇડ્સ લે છે જે ખતરનાક છે. આવા શૉર્ટકટથી શરીર બહારથી મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી ખોખલું બની જાય છે. એક શૉર્ટકટ તમારી જિંદગી નાની કરી શકે છે એટલે શૉર્ટકટ પર નહીં પણ લાંબા સમય સુધી ચાલે એવી ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK