Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯૮૭માં ટીવી-સિરિયલ રામાયણ બનાવવા પાછળ થયો હતો આશરે ૭ કરોડનો ખર્ચ

૧૯૮૭માં ટીવી-સિરિયલ રામાયણ બનાવવા પાછળ થયો હતો આશરે ૭ કરોડનો ખર્ચ

Published : 01 August, 2026 02:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે રણબીર કપૂરની ‘રામાયણ’ પર આધારિત ફિલ્મ આવી રહી છે જે આ વર્ષે દિવાળી વખતે રિલીઝ થશે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે અને રિપોર્ટ મુજબ એના નિર્માણ પાછળ લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 

૧૯૮૭માં ટીવી-સિરિયલ રામાયણ બનાવવા પાછળ થયો હતો આશરે ૭ કરોડનો ખર્ચ

૧૯૮૭માં ટીવી-સિરિયલ રામાયણ બનાવવા પાછળ થયો હતો આશરે ૭ કરોડનો ખર્ચ


ભારતીય સિનેમામાં અત્યાર સુધી ‘રામાયણ’ પર અનેક ફિલ્મો અને ટેલિવિઝન શો બની ચૂક્યાં છે. જોકે સૌથી વધુ લોકપ્રિયતા ડિરેક્ટર અને નિર્માતા રામાનંદ સાગરની ‘રામાયણ’ને મળી હતી. હવે રણબીર કપૂરની ‘રામાયણ’ પર આધારિત ફિલ્મ આવી રહી છે જે આ વર્ષે દિવાળી વખતે રિલીઝ થશે. આ ફિલ્મ બે ભાગમાં બનાવવામાં આવી રહી છે અને રિપોર્ટ મુજબ એના નિર્માણ પાછળ લગભગ ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. 
હાલમાં જ્યારે ‘રામાયણ’ ફિલ્મના આટલા મોટા બજેટની ચર્ચા થઈ રહી છે ત્યારે માહિતી મળી છે કે ૧૯૮૭માં ‘રામાયણ’ સિરિયલના ૭૮ એપિસોડ બનાવવા પાછળ આશરે ૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. રામાનંદ સાગરની ‘રામાયણ’નું પ્રસારણ ૧૯૮૭માં શરૂ થયું હતું અને એનો પ્રથમ એપિસોડ પચીસ જાન્યુઆરીએ દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. રામાનંદ સાગરની ‘રામાયણ’ના એક એપિસોડના નિર્માણ પાછળ અંદાજે ૯ લાખ રૂપિયાનો ખર્ચ થતો હતો અને એ રીતે જોઈએ તો આ સિરિયલના ૭૮ એપિસોડ બનાવવા માટે કુલ મળીને આશરે ૭ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું માનવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2026 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK