Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કંગનાની ભારત ભાગ્ય વિધાતા OTT પ્લૅટફૉર્મ પર બની નંબર વન

કંગનાની ભારત ભાગ્ય વિધાતા OTT પ્લૅટફૉર્મ પર બની નંબર વન

Published : 18 August, 2026 09:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉક્સ-ઑફિસ પર નબળું પ્રદર્શન કરનાર કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ OTT પર ચર્ચામાં આવી છે. 26/11ના હુમલા પર આધારિત આ ફિલ્મે ડિજિટલ રિલીઝ બાદ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.

કંગનાની ભારત ભાગ્ય વિધાતા OTT પ્લૅટફૉર્મ પર બની નંબર વન

કંગનાની ભારત ભાગ્ય વિધાતા OTT પ્લૅટફૉર્મ પર બની નંબર વન


કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ બૉક્સ-ઑફિસ પર ફ્લૉપ રહી હતી અને આ ફિલ્મ હવે OTT પ્લૅટફૉર્મ ઝી5 પર આવતાંની સાથે જ ધમાલ મચાવી રહી છે અને ટ્રેન્ડિંગમાં નંબર વન સ્થાન પર પહોંચી ગઈ છે. 
સ્વતંત્રતાદિવસને ધ્યાનમાં રાખીને ૧૪ ઑગસ્ટે કંગનાની ‘ભારત ભાગ્ય વિધાતા’ને OTT પ્લૅટફૉર્મ ઝી5 પર ઑનલાઇન સ્ટ્રીમ કરવામાં આવી હતી. OTT પર આવતાંની સાથે જ આ ફિલ્મે દર્શકોનું દિલ જીતી લીધું છે.
‘ભારત ભાગ્ય વિધાતા’માં મુંબઈમાં થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાની ઘટનાને દર્શાવવામાં આવી છે. આ દરમ્યાન મુંબઈની એક સરકારી હૉસ્પિટલની નર્સોએ આતંકવાદીઓનો બહાદુરી અને ચતુરાઈપૂર્વક સામનો કર્યો હતો, જેના કારણે સેંકડો બાળકો અને લોકોના જીવ બચાવી શકાયા હતા. ‘ભારત ભાગ્ય વિધાતા’ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. ફિલ્મને ક્રિટિક્સ તરફથી પૉઝિટિવ રિસ્પૉન્સ પણ મળ્યો હતો, પણ કમર્શિયલ રીતે આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહી હતી.


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK