Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠે કરવામાં આ‍વી તેમની બાયોપિકની જાહેરાત

નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠે કરવામાં આ‍વી તેમની બાયોપિકની જાહેરાત

Published : 18 September, 2025 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મા વંદેમાં મલયાલમ ફિલ્મોનો ઍક્ટર ઉન્ની મુકુંદન ભજવશે વડા પ્રધાનની ભૂમિકા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉન્ની મુકુંદન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉન્ની મુકુંદન


ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૫મી વર્ષગાંઠ હતી અને આ દિવસે પ્રોડક્શન બૅનર સિલ્વર કાસ્ટ ક્રીએશન્સે તેમની બાયોપિક ફિલ્મ ‘માઁ વંદે’ની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં મલયાલમ ફિલ્મોના ઍક્ટર ઉન્ની મુકુંદન નરેન્દ્ર મોદીનું પાત્ર ભજવશે.




આ ફિલ્મ સાચી ઘટનાઓ પર આધારિત છે અને એમાં નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને દેશના આદરણીય નેતા બનવા સુધીના તેમના જીવનના ઉતાર-ચડાવ દર્શાવવામાં આ‍વશે. ફિલ્મમાં નરેન્દ્ર મોદી અને તેમનાં માતા હીરાબા વચ્ચેના ગાઢ સંબંધને પણ દર્શાવવામાં આવશે. ‘માઁ વંદે’ની ટીમમાં શ્રેષ્ઠ ટેક્નિશ્યનોને સામેલ કરવામાં આવશે અને એને મોટા પાયે બનાવવામાં આવશે. આ ફિલ્મ અંગ્રેજી ભાષા સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં પણ તૈયાર કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2025 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK