વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X (ટ્વિટર) પર અભિનેતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, "શ્રી ગોવર્ધન અસરાનીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. એક પ્રતિભાશાળી મનોરંજક અને ખરેખર બહુમુખી કલાકાર, તેમણે પેઢીઓથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું."
અક્ષય કુમાર અને અસરાની
બૉલિવૂડ અને ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા ગોવર્ધન અસરાની, જેઓ ‘અસરાની’ તરીકે ખૂબ જ જાણીતા હતા તેમનું ૨૦ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ મુંબઈમાં ૮૪ વર્ષની વયે અવસાન થયું. પાંચ દાયકાથી વધુ સમય સુધી પોતાના કૉમેડી રોલથી દર્શકોનું મનોરંજન કરનારા આ પ્રખ્યાત અભિનેતાએ લાંબી માંદગી બાદ સાંજે ૪ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાન પર દેશના મોટા નેતાઓથી લઈને ફિલ્મ કલાકારો અને ક્રિકેટરે પણ શ્રદ્ધાંજલી આપી છે.
પીએમ મોદીએ શું લખ્યું
ADVERTISEMENT
Deeply saddened by the passing of Shri Govardhan Asrani Ji. A gifted entertainer and a truly versatile artist, he entertained audiences across generations. He particularly added joy and laughter to countless lives through his unforgettable performances. His contribution to Indian…
— Narendra Modi (@narendramodi) October 21, 2025
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X (ટ્વિટર) પર અભિનેતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, "શ્રી ગોવર્ધન અસરાનીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. એક પ્રતિભાશાળી મનોરંજક અને ખરેખર બહુમુખી કલાકાર, તેમણે પેઢીઓથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું. તેમણે ખાસ કરીને તેમના અવિસ્મરણીય અભિનય દ્વારા અસંખ્ય જીવનમાં આનંદ અને હાસ્ય ઉમેર્યું. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ."
સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપી શ્રદ્ધાંજલી
Deeply saddened by the demise of the legendary actor Govardhan Asrani ji. His unmatched versatility and unique sense of humor brought joy and laughter to millions. From the iconic jailer in Sholay to memorable roles in Chupke Chupke, Golmaal, Aap Ki Kasam, Abhimaan, Baton Baton… pic.twitter.com/yK3JGnZRhN
— Devendra Fadnavis (@Dev_Fadnavis) October 20, 2025
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે X (ટ્વિટર) પર તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું, "સુપ્રસિદ્ધ અભિનેતા ગોવર્ધન અસરાનીના નિધનથી ખૂબ દુઃખ થયું. તેમની અજોડ બહુમુખી પ્રતિભા અને રમૂજની અનોખી ભાવનાએ લાખો લોકોને આનંદ અને હાસ્ય આપ્યું. શોલેના પ્રતિષ્ઠિત જેલરથી લઈને ચુપકે ચુપકે, ગોલમાલ, આપ કી કસમ, અભિમાન, બાતોં બાતોં મેં, છોટી સી બાત, ધમાલ અને બીજા ઘણામાં યાદગાર ભૂમિકાઓ સુધી, તેમના અભિનયએ ભારતીય સિનેમા પર અમીટ છાપ છોડી છે. તેમને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અને તેમના પરિવાર અને લાખો ચાહકો પ્રત્યે ઊંડી સંવેદના. ઓમ શાંતિ."
અક્ષય કુમારે દુઃખ વ્યક્ત કર્યું
Speechless with grief at the passing of Asrani ji. We had just shared the warmest of hugs just a week back at the shoot of Haiwaan. Bahot pyare insaan the…he had the most legendary comic timing. From all my cult films Hera Pheri to Bhagam Bhag to De Dana Dan, Welcome and now our… pic.twitter.com/yo7wXnGO1Z
— Akshay Kumar (@akshaykumar) October 20, 2025
સોમવારે, અક્ષય કુમારે પણ પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો. અસરાની તેમની બે રિલીઝ ન થયેલી ફિલ્મોમાં જોવા મળશે તે વાતનો ખુલાસો કરતા અક્ષયે લખ્યું, "અસરાનીજીના નિધન પર હું શોકથી અવાચક છું. એક અઠવાડિયા પહેલા જ `હૈવાન`ના શૂટિંગ દરમિયાન અમે એકબીજાને ખૂબ જ ગળે લગાવ્યા હતા. બહોત પ્યારે ઇન્સાન... મારી બધી કલ્ટ ફિલ્મો `હેરા ફેરી`થી લઈને `ભાગમ ભાગ` સુધી, `દે દના દન`, `વેલકમ` અને હવે `ભૂત બંગલા` અને `હૈવાન` સુધી... તેમની કૉમિક ટાયમિંગ ખૂબ જ સુપ્રસિદ્ધ હતી." અક્ષયે વધુમાં ઉમેર્યું, "મેં તેમની સાથે કામ કર્યું હતું અને ઘણું બધું શીખ્યું હતું. અમારા ઉદ્યોગ માટે આ કેટલું મોટું નુકસાન છે. ભગવાન તમને આશીર્વાદ આપે અસરાની સર, અમને હસવાના લાખો કારણો આપવા બદલ. ઓમ શાંતિ."
શિખર ધવને પણ આપી શ્રદ્ધાંજલી
Grew up watching the incredible comic timing and charisma of Asrani ji. A true icon of Indian cinema. His legacy will live on forever. My condolences to his family and fans. ? pic.twitter.com/oG1lukNpUC
— Shikhar Dhawan (@SDhawan25) October 20, 2025
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને પણ અભિનેતાને યાદ કર્યા. એક હૃદયસ્પર્શી પોસ્ટમાં, તેણે લખ્યું, "અસરાની જીના અદ્ભુત કૉમિક ટાઇમિંગ અને કરિશ્મા જોઈને મોટો થયો છું. ભારતીય સિનેમાના સાચા પ્રતિક. તેમનો વારસો હંમેશા જીવંત રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના."

