Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય ખન્ના ફિલ્મ ધુરંધરના સેટ પર મોટા ભાગે એકલો બેસી રહેતો હતો

અક્ષય ખન્ના ફિલ્મ ધુરંધરના સેટ પર મોટા ભાગે એકલો બેસી રહેતો હતો

Published : 15 December, 2025 12:32 PM | Modified : 15 December, 2025 06:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં મહત્ત્વનો રોલ ભજવી રહેલા રાકેશ બેદીએ સેટ પર તેના વર્તન વિશે વાત કરી

રાકેશ બેદીએ સેટ પર અક્ષય ખન્નાના વર્તન વિશે વાત કરી

રાકેશ બેદીએ સેટ પર અક્ષય ખન્નાના વર્તન વિશે વાત કરી


‘ધુરંધર’ હાલમાં બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ માત્ર ૧૦ દિવસમાં જ ૩૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. તાજેતરમાં ફિલ્મમાં મહત્ત્વનો રોલ કરનારા રાકેશ બેદીએ પોતાના કો-ઍક્ટર અક્ષય ખન્નાના સ્વભાવ વિશે અનેક વાતો શૅર કરીને જણાવ્યું કે સેટ પર તેનું વર્તન કેવું હતું.

રાકેશ બેદીએ પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અક્ષય ખન્ના ‘ધુરંધર’ના સેટ પર મોટા ભાગે એકલો બેસી રહેતો હતો. જોકે એવું નહોતું કે તે કોઈ સાથે વાતચીત નહોતો કરતો. મારી તેની સાથે અનેક વખત વાતચીત થઈ હતી. અમે રાજકીય વિષયો પર પણ ચર્ચા કરી હતી. તેણે મારી સાથે મારા થિયેટર-પ્લે વિશે પણ વિગતે વાત કરી હતી અને ઘણી વખત સાથે ભોજન પણ લીધું હતું. તે ઘણો સોશ્યલ હતો, પણ આમ છતાં બધા સાથે એક અંતર પણ રાખતો હતો.’



ધુરંધરની કમાણી ૩૦૦ કરોડને પાર


રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’ની શનિવારની કમાણી ૫૩.૭૦ કરોડ રૂપિયા થતાં પાંચમી ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મની ભારતમાં નેટ કમાણી ૩૦૬.૪૦ કરોડ રૂપિયા જેટલી નોંધાઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2025 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK