ફિલ્મમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણનું પાત્ર ભજવે છે
‘રાજા શિવાજી’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું હતું
રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થયું હતું. આ ટ્રેલરમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝાના ૧૦ વર્ષના દીકરા રાહિલ દેશમુખની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
ફિલ્મમાં રાહિલ છત્રપતિ શિવાજી મહારાજના બાળપણનું પાત્ર ભજવે છે. ટ્રેલરમાં તે એક નાના દૃશ્યમાં પોતાના ભાઈ સાથે વાતચીત કરતો દેખાય છે. જોકે રિતેશ કે જેનેલિયાએ હજી સુધી ફિલ્મમાં રાહિલના ડેબ્યુ વિશે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નથી. એ ઉપરાંત રિતેશે જણાવ્યું હતું કે સલમાન ખાન પણ ‘રાજા શિવાજી’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.
