‘પ્રલય’નું ડિરેક્શન ફિલ્મમેકર હંસલ મહેતાનો દીકરો જય મહેતા કરી રહ્યો છે અને એની વાર્તા કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે
રણવીર સિંહ
રણવીર સિંહ ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ પછી ‘પ્રલય’ નામના ઝૉમ્બી ડ્રામામાં જોવા મળશે. રણવીર પોતાની આ આગામી ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે અને એને તેની કરીઅરના સૌથી મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક ગણવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ‘પ્રલય’નું અંદાજિત બજેટ આશરે ૩૦૦ કરોડ રૂપિયા છે અને આ ફિલ્મ રણવીરની અત્યાર સુધીની સૌથી મોંઘી સોલો ફિલ્મ બની શકે છે. ફિલ્મમાં સ્ક્રિપ્ટથી લઈને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સુધી દરેક બાબતમાં ભારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ફિલ્મમાં કામ કરવા માટે રણવીરે
પ્રૉફિટ-શૅરિંગ ડીલ કરી હોવાની માહિતી પણ મળી છે.
‘પ્રલય’નું ડિરેક્શન ફિલ્મમેકર હંસલ મહેતાનો દીકરો જય મહેતા કરી રહ્યો છે અને એની વાર્તા કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં રણવીર સાથે મુખ્ય અભિનેત્રી તરીકે સાઉથની ઍક્ટ્રેસ
ADVERTISEMENT
કલ્યાણી પ્રિયદર્શન જોવા મળી શકે છે. જોકે આ અંગે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી. ફિલ્મનું શૂટિંગ મે અથવા જૂનમાં શરૂ થવાની શક્યતા છે.


