રવીના ટંડન કહે છે, ‘પંખીઓ, ડૉગ્સ અને બિલાડીઓને ઉનાળામાં ખૂબ વેઠવાનું આવે
રવીના ટંડન, જૉન એબ્રાહમ, જૅકલિન ફર્નાન્ડિસ
ગરમીનો પારો જેમ-જેમ વધે છે તેમ-તેમ અકળામણ શરૂ થઈ જાય છે. એવામાં અબોલ પશુ-પંખીઓની પણ ખાસ કાળજી લેવાની સલાહ સેલિબ્રિટીઝે આપી છે. તેમણે જણાવ્યું છે કે પશુ-પંખીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે. રવીના ટંડન કહે છે, ‘પંખીઓ, ડૉગ્સ અને બિલાડીઓને ઉનાળામાં ખૂબ વેઠવાનું આવે છે. હું દરેકને કહેવા માગું છું કે તમે તમારા ઘરની બહાર સ્વચ્છ અને ઠંડા પાણીથી ભરેલાં માટીનાં વાસણો રાખો. આવાં સસ્તાં માટીનાં વાસણો પાણીને ઠંડું રાખશે.’
જૉન એબ્રાહમ કહે છે, ‘ગરમીનો પારો વધતાં પશુઓને હીટસ્ટ્રોક અને ડીહાઇડ્રેશનથી બચાવવાં ખૂબ જરૂરી છે. આ જ કારણ છે કે મેં અને મારા ફ્રેન્ડ્સે પાણી ભરેલાં વાસણો ગાર્ડનમાં, બારી પાસે, બાલ્કનીમાં અને ટૅરેસ પર મૂક્યાં છે. સાથે જ એનું પાણી પણ સમયાંતરે બદલવું જોઈએ.’
ADVERTISEMENT
જૅકલિન ફર્નાન્ડિસ કહે છે, ‘હું એ વાતની ખાતરી રાખું છું કે મારાં પેટ હાઇડ્રેટેડ રહે. પશુ અને પંખીઓને ફળ ખવડાવવાં પણ સારી બાબત છે. ફળો સારાં અને મીઠાં હોવાથી તેમને રીહાઇડ્રેટ કરવામાં મદદ કરે છે.’
ફોટોગ્રાફર પર ભડક્યો જુનિયર NTR
જુનિયર NTR હાલમાં મુંબઈમાં છે અને ફોટોગ્રાફર સાથે તેને ખૂબ કડવો અનુભવ થયો છે. તે ફોન પર વાત કરતાં-કરતાં હોટેલમાં જઈ રહ્યો હતો અને એ જ વખતે એક ફોટોગ્રાફર તેને શૂટ કરી રહ્યો હતો. એથી જુનિયર NTR તેના પર ભડકી ગયો હતો. ઍક્ટર્સ હંમેશાં સ્માઇલ આપે અને ફોટો ક્લિક કરાવે એવું શક્ય નથી હોતું. તેમને પણ પ્રાઇવસી અને રિસ્પેક્ટ જોઈતાં હોય છે. જોકે ફોટોગ્રાફર્સ તેમની પાછળ-પાછળ કૅમેરા લઈને શૂટ કરવા પહોંચી જાય છે. આવું જ કાંઈક જુનિયર NTR સાથે થયું હતું. તે જોરથી ભડકીને બોલ્યો ‘ઓય..’ અને ફોટોગ્રાફરને ત્યાંથી હટવા કહ્યું હતું. જુનિયર NTRની આસપાસ સિક્યૉરિટી ગાર્ડ્સ પણ હાજર હતા.
અમિતાભ બચ્ચનના દોહિત્રની હિરોઇન અક્ષયકુમારની ભાણેજ
અક્ષયકુમારની ભાણેજ સિમર ભાટિયા ટૂંક સમયમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાની છે. અક્ષયકુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે સિમર. એવું જાણવા મળ્યું છે કે તે ‘ઇક્કીસ’માં દેખાવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાનો દીકરો અગસ્ત્ય નંદા પણ જોવા મળશે. અગસ્ત્યએ ગયા વર્ષે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરી દીધી છે. સિમરે તો શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ફિલ્મની સ્ટોરીમાં પિતા અને પુત્રના સંબંધો પર પ્રકાશ પાડવામાં આવશે. ૧૯૭૧માં ભારત-પાકના યુદ્ધ પર આધારિત આ ફિલ્મમાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ અને તેમના પિતા બ્રિગેડિયર એમ. એલ. ખેત્રપાલના સાહસને દેખાડવામાં આવશે. ફિલ્મમાં ધર્મેન્દ્ર અને જયદીપ અહલાવત પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે દસ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.