Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

‘મરને કે લિએ થોડા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત ઝહર પીના પડતા હૈ’

28 November, 2021 10:57 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બિગ બૉસ’ના ઘરમાંથી ઇવિક્ટેડ થયા બાદ આવું કહ્યું જય ભાનુશાલીએ

જય ભાનુશાલી

જય ભાનુશાલી


જય ભાનુશાલીને આ અઠવાડિયે ‘બિગ બૉસ’ની ૧૫મી સીઝનમાં ઘરમાંથી બહાર કાઢ્યા બાદ તેણે જણાવ્યું કે બિગ બૉસના ઘરમાં રહેવા માટે ઘણું ઝેર પીવું પડે છે. જય સાથે નેહા ભસીન અને વિશાલ કોટિયને પણ ઘરની બહાર જવું પડ્યું છે. જય ભાનુશાલીએ ફૅન્સે આપેલા સપોર્ટને લઈને સૌનો આભાર માન્યો છે. જય ભાનુશાલીએ ટ્વીટ કર્યું હતું કે ‘આ મેસેજ મારા તમામ ફૅન્સ અને #જયવૉરિયર્સ માટે છે. તમે બધાએ આપેલા પ્રેમ અને સપોર્ટ બદલ ખૂબ આભાર. ખરા-ખોટાની વચ્ચે મેં સાચાની પસંદગી કરી છે. મને અહેસાસ થયો છે કે બિગ બૉસના ઘરમાં ધોકા, દોગલા, ચીટર, પીઠમાં વાર કરનારાઓ માટે એકદમ કૂલ શબ્દ આપવામાં આવ્યો છે, જેને માસ્ટરમાઇન્ડ કહેવાય. હું હંમેશાં ફાઇટર હતો અને રહીશ. સૌને પ્રેમ, અને એક વાત યાદ રાખજો કે જય ભાનુશાલી હંમેશાં જય ભાનુશાલી જ રહેવાનો છે. તે કોઈને માટે બદલાય નહીં. ‘બિગ બૉસ’માં રહેવાનો મારો અનુભવ ‘ઝહર કા ભી અલગ હિસાબ હોતા હૈ; મરને કે લિએ થોડા સા, ઔર ‘બિગ બૉસ’ કે ઘર મેં જીને કે લિએ બહોત સારા પીના પડતા હૈ.’


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK