Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’નો અંત આવશે?

‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’નો અંત આવશે?

Published : 24 October, 2021 04:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ શોમાં શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ લીડ રોલમાં છે

શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ

શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ


‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી : નયી કહાની’ પર પૂર્ણવિરામ લાગવાની શક્યતા છે. આ શોમાં શાહિર શેખ અને એરિકા ફર્નાન્ડિસ લીડ રોલમાં છે. ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે એરિકા આ શોને બાય-બાય કરી દેવાની છે. જોકે તેણે હજી સુધી એ વિશે કોઈ માહિતી નથી આપી. એવામાં વાત વહેતી થઈ છે કે આ શો બંધ થવાનો છે. આ શોનાં નિકટનાં સૂત્રો પાસેથી માહિતી મળી છે કે આ મહિનાના અંત સુધી સિરિયલ બંધ થવાની છે. આ સીઝન ખૂબ ઓછા સમય માટે જ ચાલી હતી. શાહિર પણ મ્યુઝિક વિડિયો અને અન્ય કમિટમેન્ટ્સને કારણે બિઝી છે. બીજી તરફ એરિકાનું શેડ્યુલ પણ વ્યસ્ત છે. આ શોની પહેલી બે સીઝને લોકોને ઇમોશનલી જોડ્યા હતા. પબ્લિક ડિમાન્ડ પર જ આ શો શરૂ કરવામાં આવ્યો હતો. શોના ઍક્ટર્સ પણ પરસ્પર મજબૂત સંબંધ ધરાવે છે. શોમાં શાહિરની મમ્મીનો રોલ ભજવનાર સુપ્રિયા પિળગાવકરને રિયલ લાઇફમાં પણ તે મા કહીને જ બોલાવે છે. હવે એ જોવું રહ્યું કે ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી ઃ નયી કહાની’ને કયા રંગ સાથે અંત આપવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2021 04:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK