‘સિદ્ધાર્થ અને હું એકસમાન છીએ, પોતાની જ દુનિયામાં અમે ખુશ રહીએ છીએ. ‘બિગ બૉસ 13’ના હાઉસમાં અમારી વચ્ચે થયેલા મતભેદ બાદ અમારી વચ્ચે વાતચીત બંધ હતી
સિદ્ધાર્થના નિધનના બે-ત્રણ દિવસ પહેલાં તેની સાથે મુલાકાત કરી હતી વિશાલે
સિદ્ધાર્થ શુક્લાના અવસાનના બે-ત્રણ દિવસ અગાઉ વિશાલ આદિત્ય સિંહે તેની સાથે મુલાકાત કરી હતી. તેમણે લગભગ અડધો કલાક સુધી વાતચીત કરી હતી. સિદ્ધાર્થે બાદમાં તેને ફરીથી મળવાનો મેસેજ પણ કર્યો હતો. વિશાલને હજી પણ વિશ્વાસ નથી બેસતો કે એ તેમની અંતિમ મુલાકાત હતી. ‘બિગ બૉસ 13’ના હાઉસમાં બન્ને વચ્ચે ખૂબ વિવાદ થતો હતો. ત્યાર બાદથી બન્ને વચ્ચે વાતચીત બંધ હતી. જોકે ‘ખતરોં કે ખિલાડી’માં વિશાલના સ્ટન્ટ્સ જોઈને સિદ્ધાર્થે તેની ખૂબ પ્રશંસા કરી હતી. સિદ્ધાર્થ વિશે વાત કરતાં વિશાલ આદિત્ય સિંહે કહ્યું હતું કે ‘સિદ્ધાર્થ અને હું એકસમાન છીએ, પોતાની જ દુનિયામાં અમે ખુશ રહીએ છીએ. ‘બિગ બૉસ 13’ના હાઉસમાં અમારી વચ્ચે થયેલા મતભેદ બાદ અમારી વચ્ચે વાતચીત બંધ હતી અને અમે કદી પણ મળવાનો પ્રયાસ નહોતો કર્યો. સિદ્ધાર્થની મમ્મી અને તેની બહેને ‘ખતરોં કે ખિલાડી’માં મારો પાણીનો સ્ટન્ટ જોયો હતો. તેઓ જાણતાં હતાં કે મને સ્વિમિંગ નથી આવડતું. સિદ્ધાર્થે મારો નંબર શોધીને મને કૉલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘તેં જે કર્યું છે એ તો હું પણ ન કરી શકું.’ તેણે આગળ આવીને મારા કામની પ્રશંસા કરી હતી અને એ તો મારા માટે ખૂબ મોટી વાત હતી. મને એવું લાગ્યું કે આવા લોકો પણ આ વિશ્વમાં હોય છે જેઓ અન્ય લોકોની પણ પ્રશંસા કરતા હોય છે.