બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તાજેતરમાં નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી વેબસિરીઝ ‘સ્કૂપ’માં જાગૃતિ પાઠકનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે તેના વખાણ પણ થઈ રહ્યાં છે. ગુજરાતી મિડ ડે ડૉટ કૉમ સાથેના એક્સ્ક્લુઝિવ ઇન્ટરવ્યુમાં તેણે સ્કૂપ કર્યાં બાદ એક એક્ટ્રેસ તરીકે તેના પ્રત્યે લોકોની ધારણા કેવી રીતે બદલાઈ તે વિશે ખાસ વાતચીત કરી છે. તેણે ક્રાઈમ જર્નાલિસ્ટ જાગૃતિ પાઠકનું પાત્ર ભજવવા માટેની આખી પ્રૉસેસ અને તૈયારી વિશે વાતોકરી હતી. તેણે કહ્યું કે, તેને હંમેશા પોતાને એક એક્ટ્રેસ તરીકે સાબિત કરવાની ઈચ્છા હતી અને સ્કૂપ સાથે તેનું આ ડ્રીમ પૂરું થયું છે તો જુઓ આ સિવાય કરિશ્મા તન્નાએ ગુજરાતી મિડ-ડે સાથે વધુમાં એવા કયા કયા ખુલાસા કર્યા...