કોઈ એવી વાતો હોય જે સહજ રીતે જ ઊડીને આંખે વળગતી હોય તો ધારી શકાય કે એ વાતોનું પ્રતિનિધિત્વ કરતા ગ્રહો તમને કંઈક કહેવા માગે છે
શુક્ર-શનિ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
તન, મન અને ધનને ગ્રહોનો સીધો સંબંધ છે. જેમ બીમારી આવતાં પહેલાં અણસાર આપવાના ભાગરૂપે શરીરમાં ફેરફારો આપવાના શરૂ કરે છે એવી જ રીતે ગ્રહોમાં થતા ફેરફારો પણ જીવનમાં અગત્યના કહેવાય એવા તન, મન અને ધન દ્વારા તમને સૂચવવાનું કામ કરે છે. ગ્રહોમાં થતા ફેરફારો જો સારા હોય તો એ તન, મન કે ધનના ક્ષેત્રમાં સકારાત્મકતા દર્શાવે છેે. જો એ ફેરફારો નકારાત્મક હોય તો તન, મન અને ધનના મામલે ખરાબ અસર દેખાડવાનું શરૂ કરે છે, જેની નોંધ જો યોગ્ય રીતે લેવામાં આવે તો એ ચોક્કસપણે લાભદાયી પુરવાર થાય છે.
જોઈએ એવા કેટલાક સામાન્ય અને નોંધનીય ફેરફારો જે સરળતાપૂર્વક વ્યક્તિ નોંધી શકે છે.