Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ૪૦-૫૫ વર્ષની ઉંમરમાં જો તમને જૉઇન્ટ પેઇન હોય તો ડૉક્ટર પાસે ક્યારે જવું?

૪૦-૫૫ વર્ષની ઉંમરમાં જો તમને જૉઇન્ટ પેઇન હોય તો ડૉક્ટર પાસે ક્યારે જવું?

26 April, 2024 07:50 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘણી વખત આ ઉંમરમાં વિટામિન્સ, મિનરલ્સ કે પાણીની કમીને કારણે પણ આવું થતું હોય છે.

પ્રતીકાત્મક તસવીર

ડોક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


સાંધાનો દુખાવો અત્યંત સામાન્ય તકલીફ છે જે મોટા ભાગે દરેક વ્યક્તિના જીવનમાં આવતી જ હોય છે, પરંતુ સ્ત્રીઓમાં જ્યારે ૪૦-૫૦ વર્ષની ઉંમરે સાંધાનો દુખાવો આવે ત્યારે અમુક વસ્તુ સમજવા જેવી છે. ખાસ કરીને આ દુખાવો કેમ છે અને એની પાછળ શું કારણ હોઈ શકે એ સમજીએ. મોટી ઉંમરે એટલે કે ૫૫-૬૦ વર્ષ પછી સ્ત્રીઓને ઉંમર સંબંધિત આર્થ્રાઇટિસ જેવી તકલીફ આવે. ૪૫થી લઈને ૫૦ વર્ષ સુધીમાં ઉંમરને કારણે થતું એટલે કે ઑસ્ટિઓઆર્થ્રાઇટિસ કે ઑસ્ટિઓપોરોસિસ ન આવે. બીજી વાત એ કે જો આ ઉંમરે કોઈ સાંધામાં તકલીફ આવી કે શરીરમાં કળતર આવી જે સરળતાથી ૨-૪ દિવસ કે ૧૦-૧૫ દિવસમાં જાય નહીં તો સ્ત્રીએ આ બાબતે ગંભીર બનવાની જરૂર રહે છે. આ તકલીફ વિશે ચકાસણી કરીએ ત્યારે ખબર પડે છે કે કોઈ કેસમાં આ મૅટૉઇડ આર્થ્રાઇટિસ હોઈ શકે છે, કારણ કે આ રોગ કોઈ પણ ઉંમરે સંભવી શકે છે. જો એ ન હોય તો હૉર્મોનલ કારણો પણ હોઈ શકે છે. 

તો પછી પ્રશ્ન એ આવે છે કે ૪૦-૫૫ વર્ષની ઉંમરમાં જો તમને જૉઇન્ટ પેઇન હોય તો ડૉક્ટર પાસે ક્યારે જવું? જો તમને આ જૉઇન્ટ પેઇન ૩-૪ દિવસથી વધુ હોય, સતત આ પેઇન રહેતું જ હોય અને ઓછું ન જ થતું હોય, એક સાંધાથી લઈને બીજા સાંધા સુધી એ વિસ્તરી ગયું હોય, એની સાથે તાવ આવે કે વજન ઓછું થઈ ગયું હોય તો ડૉક્ટર પાસે જવું જોઈએ. ડૉક્ટર પાસે આ પેઇન લઈને જાઓ ત્યારે એ લક્ષણો પૂછશે અને ક્લિનિકલી ચકાસશે. જો જરૂર લાગશે તો અમુક ટેસ્ટ કરાવશે. ઘણી વખત આ ઉંમરમાં વિટામિન્સ, મિનરલ્સ કે પાણીની કમીને કારણે પણ આવું થતું હોય છે. ઘણા દરદીઓને તો જ્યારે અમે કહીએ છીએ કે દિવસનું ૩-૪ લીટર પાણી પીવાનું શરૂ કરી દો તો એની મેળે એ ઠીક થઈ જાય છે. આ સિવાય ઘણી વાર વિટામિન ‘ડી’ની ઉણપ પણ હોઈ શકે છે. કૅલ્શિયમની કમી થઈ જવાને લીધે પણ આવું થતું હોય છે. ઘણી વાર બધાં જ કારણો ભેગાં હોય છે તો એ લાઇફ-સ્ટાઇલ સુધારવાથી ઠીક થઈ શકે છે. અમુક વાર પેઇન વધુ હોય તો ચિહ્‍‍નો સમજીને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરી દવાઓ પણ દરદીને આપવી પડે છે, જેનાથી ઘણી રાહત મળતી હોય છે. પરંતુ એક વસ્તુ સમજવી જરૂરી છે કે જો હૉર્મોન્સને કારણે કે મેનોપૉઝનાં બીજાં ચિહ્‍‍નોને કારણે આ તકલીફ સર્જાઈ હોય તો એ જીવનભર રહેતી નથી. એ થોડા સમયમાં મટી જાય છે. બાકીના રોગો જેમ કે આર્થ્રાઇટિસ કે ઑસ્ટિઓપોરોસિસને ઠીક કરી શકાતા નથી એ સમજવું જરૂરી છે. 

અહેવાલ : ડૉ. મિતેન શેઠ


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2024 07:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK