Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આસારામના આશ્રમની અપીલને હાઈ કોર્ટે ફગાવી

આસારામના આશ્રમની અપીલને હાઈ કોર્ટે ફગાવી

Published : 18 April, 2026 09:40 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારી વકીલે કોર્ટને આશ્વસ્ત કરી છે કે લૅન્ડ રેવન્યુ કોડની ધારા ૨૦૨ મુજબ આશ્રમને નવેસરથી નોટિસ આપવામાં આવશે

આસારામ આશ્રમ

આસારામ આશ્રમ


ગુજરાત હાઈ કોર્ટના ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ખંડપીઠે અમદાવાદના આસારામના આશ્રમની અપીલને ફગાવી દીધી છે.

ગુજરાત હાઈ કોર્ટમાં ચાલી રહેલા અમદાવાદના આસારામના આશ્રમના કેસમાં બે જજોની ખંડપીઠે સિંગલ જજના એ ફેંસલાને કાયમ રાખ્યો છે જેમાં કલેક્ટરે જમીન પાછી લેવાના આદેશને સાચો ઠેરવ્યો હતો. હાઈ કોર્ટે સખત ટિપ્પણી કરતાં નોંધ્યું હતું કે આશ્રમે ન ફક્ત સરકારી શરતોનું ઉલ્લંઘન કર્યું છે, બલ્કે સાબરમતી નદીની જમીન પર પણ ગેરકાયદે કબજો કર્યો છે. સરકારી વકીલે કોર્ટને આશ્વસ્ત કરી છે કે લૅન્ડ રેવન્યુ કોડની ધારા ૨૦૨ મુજબ આશ્રમને નવેસરથી નોટિસ આપવામાં આવશે, જે પછી જમીનનો કબજો પાછો લેવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

18 April, 2026 09:40 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK