Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > દિવાળીની પછી સુરત જવાના હો તો કોરોના ટેસ્ટ કરાવીને જજો

દિવાળીની પછી સુરત જવાના હો તો કોરોના ટેસ્ટ કરાવીને જજો

Published : 28 October, 2021 12:29 PM | IST | Surat
Agency

સુરતમાં લાખોની સંખ્યામાં હીરા અને કાપડ માર્કેટમાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓ છે જેઓ દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં જતા હોય છે.

દિવાળીની પછી સુરત જવાના હો તો કોરોના ટેસ્ટ કરાવીને જજો

દિવાળીની પછી સુરત જવાના હો તો કોરોના ટેસ્ટ કરાવીને જજો


બુધવારે સુરત શહેરના પ્રશાસન દ્વારા દિવાળીની રજાઓ માણીને પરત આવતા નાગરિકો માટે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ ફરજિયાત જાહેર કરવામાં આવી છે. કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે સંક્રમણ ફરી માથું ન ઊંચકે એની તકેદારી લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સુરત પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે રસીના બન્ને ડોઝ લઈ લીધા હશે તેવા નાગરિકો સહિત તમામ માટે આર.ટી.પી.સી.આર. ફરજિયાત હશે. દિવાળી પછી શહેરમાં પરત આવી રહેલા નાગરિકોએ ૭૨ કલાકમાં કઢાવેલો રિપોર્ટ સાથે રાખવાનો હશે. સુરતમાં લાખોની સંખ્યામાં હીરા અને કાપડ માર્કેટમાં કામ કરતા પરપ્રાંતીય કર્મચારીઓ છે જેઓ દિવાળીની રજાઓમાં પોતાના વતનમાં જતા હોય છે. સુરતવાસીઓ પણ દિવાળી વેકેશનમાં ફરવા નીકળી જતા હોય છે. શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો ન આવે એ ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 12:29 PM IST | Surat | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK