Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગોપાલ સંપ્રદાયનાં પૂજ્ય મનીષાબાઈ મ.સ. કાળધર્મ પામ્યાં

ગોપાલ સંપ્રદાયનાં પૂજ્ય મનીષાબાઈ મ.સ. કાળધર્મ પામ્યાં

Published : 03 December, 2025 07:44 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લું ચાતુર્માસ ગાંધીનગરમાં હતું. કામરેજમાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી

બા.બ્ર.પૂ. મનીષાબાઈ મ.સ.

બા.બ્ર.પૂ. મનીષાબાઈ મ.સ.


લીંબડી ગોપાલ સંપ્રદાયના શાસનરત્ન પૂ. રામઉત્તમકુમારજી મ.સા.ના પરિવારનાં વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજીનાં સુશિષ્યા બા.બ્ર.પૂ. મનીષાબાઈ મ.સ. સોમવારે રાતે ૩.૩૬ વાગ્યે વાસણા-અમદાવાદ ખાતે વૈયાવચ્ચ ભવનમાં સમાધિભાવે કાળધર્મ પામ્યાં હતાં. ગઈ કાલે સાંજે ૪ વાગ્યે રોકડનાથ સોસાયટીથી તેમની પાલખીયાત્રા નીકળી હતી. ધ્રાંગધ્રાના વતની અને મુંબઈમાં વસતા વાડીભાઈ શાહનાં મોટાં પુત્રી હાલ પૂ. પ્રિયદર્શનાજી મ.સ., નાનાં બહેન પૂ. મનીષાજી મ.સ.એ દીક્ષા અંગીકાર કરી હતી તેમ જ આ પરિવારનાં માસા-માસી, દીકરીઓ, ભત્રીજી વગેરે ૧૮ ભવ્યાત્માઓએ દીક્ષા અંગીકાર કરી છે. પૂ. મહાસતીજીનું છેલ્લું ચાતુર્માસ ગાંધીનગરમાં હતું. કામરેજમાં પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંપ્રદાય પ્રમુખ સુરેશ તુરખિયા વગરેએ ભાવાંજલિ અર્પણ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2025 07:44 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK