Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


આજનાં વન્ડર વુમન છે મીનલ ગોહિલ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

રાજકોટની `વન્ડર વુમન` મીનલ ગોહિલ સમાજ સેવા દ્વારા બદલાવી રહી છે અનેક જીવન

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે મીનલ ગોહિલ. રાજકોટની મીનલ ગોહિલ આજે Lucky Foundation મારફતે જરૂરિયાતમંદ બાળકો, વૃદ્ધો અને મહિલા સેક્સ વર્કર્સ માટે આશાનો આધાર બની છે. સમાજસેવાની પ્રેરણા તેમને બાળપણથી જ તેમના દાદા-બાપુ પાસેથી મળી. તેમના દાદા-બાપુ, સરકારી નોકરીમાં વ્યસ્ત હોવા છતાં, સમાજસેવાના કાર્ય માટે સમય કાઢતા હતા. તેમણે મીનલને બાલ સંસ્કાર કેન્દ્રમાં મોકલ્યા હતા, જ્યાંથી તેમની સમાજ સેવાની સાચી યાત્રા શરૂ થઈ.

28 August, 2025 06:55 IST | Rajkot | Hetvi Karia
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું જયેશ ઉપાધ્યાયને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: સેવા માટે જીવન સમર્પિત કરનાર જયેશ ઉપાધ્યાયના બોલબાલા ટ્રસ્ટની યાત્રા

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે ‘દર્દ’ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું જયેશ ઉપાધ્યાયને. "જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવું, એ જ મારું ધ્યેય છે," આ દૃઢ નિશ્ચય સાથે જયેશ ઉપાધ્યાયે માત્ર 100 રૂપિયાથી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. 29 મે 1991 ના રોજ રાજકોટના ઢેબર રોડથી તેમના માતાપિતાના આશીર્વાદ અને એક વૃદ્ધ ડોશીની પ્રેરણાથી શરૂ થયેલું આ ટ્રસ્ટ આજે સમાજ સેવામાં એક મહત્ત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યું છે, જે લાખો લોકોને જીવન માટે આશા આપે છે.

21 August, 2025 03:40 IST | Rajkot | Hetvi Karia
આ પહેલનો ઉદ્દેશ એશિયાના સૌથી મોટા ઘાસના મેદાન ઇકોસિસ્ટમમાંના એકની જૈવવિવિધતાને વધારવાનો છે.

વનતારા અને ગુજરાત વન વિભાગ દ્વારા બન્ની ઘાસના મેદાનોમાં વન્યજીવન પ્રોત્સાહન પહેલ

ગુજરાતના કચ્છ ખાતે ૧૫ જુલાઈ ૨૦૨૫ના રોજ વન્યજીવન સંરક્ષણ માટે એક રોમાંચક વિકાસમાં, ગુજરાત વન વિભાગે વનતારા સાથે મળીને, બન્ની ઘાસના મેદાનોમાં ૭૦ હેક્ટરના સંરક્ષિત વિસ્તારમાં ૨૦ સ્પોટેડ હરણ રજૂ કર્યા છે.

15 July, 2025 03:45 IST | Kutch | Gujarati Mid-day Online Correspondent
અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રામાં પહિંદ વિધિ કરી રથને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક છે: ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ૧૪૮મી રથયાત્રાને પ્રસ્થાન કરાવી. આ પ્રસંગે તેમણે સૌ કચ્છી માડુઓને કચ્છી નવાવર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર શ્રીપ્રતિભાબેન જૈન પણ રથયાત્રામાં સહભાગી થયા હતા.

28 June, 2025 06:33 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
૧૫ વર્ષીય આકાશ પટણીનો મૃતદેહ આજે પરિવારજનોને સોંપવામાં આવ્યો (તસવીરોઃ નિમેશ દવે)

Plane Crash: ચા વેચતા ૧૫ વર્ષના છોકરાના મૃતદેહની ઓળખ, પરિવારજનોનું હૈયાફાટ રુદન

૧૨ જુનના રોજ ગુજરાત (Gujarat)ના અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)નું પેસેન્જર વિમાન બોઇંગ ડ્રીમલાઇન ૭૮૭ ક્રેશ (Air India Plane Crash in Ahmedabad) થયું હતું. આ વિમાન જે હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થયું હતું ત્યાં હોસ્ટેલની બાર ચા વેચતા ૧૫ વર્ષના છોકરાનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું. આજે તેનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. (તસવીરોઃ નિમેશ દવે)

18 June, 2025 07:02 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વિજય રુપાણીના પાર્થિવદેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર હતા (તસવીરઃ નિમેશ દવે)

વિજય રુપાણીની વિદાયઃ રાજકીય સન્માન સાથે પરિવારને સોંપ્યો પાર્થિવદેહ, જુઓ તસવીરો

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર આજે ૧૬મી જુને સોમવારે મોડી સાંજે તેમના વતન રાજકોટ (Rajkot)માં કરવામાં આવશે. આ પહેલાં આજે સવારે પરિવારને વિજય રુપાણીનો પાર્થિવદેહ સોંપવામાં આવ્યો છે. તેમના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે પરિવારને સોંપાયો છે. હવે પરિવાર એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચશે. (તસવીરોઃ નિમેશ દવે)

16 June, 2025 01:01 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાને દર્દીઓને તબિયત પૂછી અને તેમના સ્વજનોને આ પરિસ્થિતિ સામે લડવાની હિંમત આપી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી

Photos: અમદાવાદ પ્લેન ક્રૅશ દુર્ઘટનાસ્થળે પહોંચ્યા PM મોદી, ઇજાગ્રસ્તોને મળ્યા

આ મુલાકાતમાં વડા પ્રધાનની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ,  કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

13 June, 2025 02:56 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય - પીટીઆઇ, સોશિયલ મીડિયા

અમદાવાદ: પ્લેન ક્રેશ થયા બાદ બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલના ભયાવહ દૃશ્યો

આજે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 મેઘાણીનગરમાં ક્રેશ થઈ હતી. આ વિમાન એક મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસમાં ક્રેશ થયું હોવાના અહેવાલ છે. જેમાં ઘણા સ્ટુડન્ટ્સના મોત થયા હોવાની આશંકા છે. જુઓ ક્રેશ થયા બાદ મેડિકલ કોલેજની હોસ્ટેલનાં ભયાવહ દૃશ્યો (તસવીર સૌજન્ય - પીટીઆઇ, સોશિયલ મીડિયા)

13 June, 2025 07:05 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK