Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકામાં પ્રકાશિત CRSના રિપોર્ટે પાકિસ્તાનની પોલ ખોલી

અમેરિકામાં પ્રકાશિત CRSના રિપોર્ટે પાકિસ્તાનની પોલ ખોલી

Published : 29 March, 2026 01:28 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન આતંકવાદીઓનો ગઢ, ત્યાં છે ભારતવિરોધી આતંકવાદી સંગઠનોનાં નેટવર્ક

૨૬/૧૧નો મુંબઈમાં થયેલ આતંકી હુમલો

૨૬/૧૧નો મુંબઈમાં થયેલ આતંકી હુમલો


અમેરિકામાં કૉન્ગ્રેસ રિસર્ચ સર્વિસ (CRS)ના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનમાં ઘણાં આતંકવાદી સંગઠનો સક્રિય છે જેઓ જમ્મુ અને કાશ્મીર તથા ભારતકેન્દ્રિત છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે લશ્કર-એ-તય્યબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં ભારતવિરોધી આતંકવાદી સંગઠનો પાકિસ્તાનની ધરતી પર એમના નેટવર્કનું સંચાલન કરી રહ્યાં છે. આ સંગઠનો ભારતવિરોધી કામ કરે છે અને એમનાં નેટવર્ક કોઈ પણ અવરોધ વિના ચાલી રહ્યાં છે.

૨૫ માર્ચે પ્રકાશિત કરવામાં આવેલા આ રિપોર્ટમાં ૧૫ આતંકવાદી સંગઠનોની વાત કરવામાં આવી છે, જેમાંથી કેટલાંક સંગઠનોને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યાં છે. આ સંગઠનોમાં લશ્કર-એ-તય્યબા (LeT), જૈશ-એ-મોહમ્મદ (JeM), હરકત-ઉલ-જેહાદ ઇસ્લામી (HUJI), હરકત ઉલ-મુજાહિદ્દીન (HUM) અને હિઝબુલ મુજાહિદ્દીન (HM)નો સમાવેશ છે.



લશ્કર-એ-તય્યબા (LeT) : ૧૯૮૦ના દશકમાં બનેલા આ સંગઠનને ૨૦૦૧માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યું હતું. હાલમાં આ સંગઠન પાકિસ્તાનના પંજાબ અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં આવેલું છે. હાલમાં જેલમાં બંધ હાફિઝ સઈદનું નેતૃત્વ ધરાવતા આ સંગઠને એનું નામ બદલીને જમાત-ઉદ-દાવા કરી દીધું છે. એની પાસે ઘણા આતંકવાદીઓ છે જેમણે ૨૦૦૮માં મુંબઈમાં હુમલો કર્યો હતો.


જૈશ-એ-મોહમ્મદ (JeM) : વર્ષ ૨૦૦૦માં મસૂદ અઝહરે આ સંગઠન સ્થાપ્યું હતું અને અમેરિકાએ ૨૦૦૧માં એને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. ૨૦૦૧માં ભારતની સંસદ પર થયેલા હુમલામાં આ સંગઠન સામેલ હતું. એની પાસે ૫૦૦ આતંકવાદીઓ છે જેઓ ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં કાર્યરત છે. એનો ઉદ્દેશ ભારતના કાશ્મીરને પાકિસ્તાન સાથે ભેળવી દેવાનો છે. આ સંગઠને અમેરિકા સામે પણ યુદ્ધની જાહેરાત કરી છે.

હિઝબુલ મુજાહિદ્દીન (HM) : ૧૯૮૯માં બનેલા આ સંગઠનને અમેરિકાએ ૨૦૧૭માં આતંકવાદી જાહેર કર્યું હતું. આ કાશ્મીરકેન્દ્રિત સંગઠન છે. એની પાસે ૧૫૦૦ આતંકવાદીઓ છે. તેઓ ભારતના કાશ્મીરને આઝાદ કરાવવા માગે છે. આ સંગઠન અલ-કાયદા અને બીજાં સંગઠનો સાથે મળીને કામ કરે છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2026 01:28 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK