આવતી કાલે એ દુર્ઘટનાને ૨૦ વર્ષ પૂરાં થશે. એ દુર્ઘટનામાં ૩૦૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. બે દાયકા પછી પણ હજી ગ્રાઉન્ડ ઝીરો પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરું નથી થયું.
૨૦ વર્ષ પછીયે ડબ્લ્યુટીસીનું ગ્રાઉન્ડવર્ક પૂરું નથી થયું
૨૦૦૧ની ૧૧ સપ્ટેમ્બરે (૯/૧૧) અહીં અમેરિકાની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સને અલ કાયદાના આત્મઘાતી આતંકવાદીઓએ હાઇજેક કરેલાં વિમાન અથડાવીને જે અભૂતપૂર્વ હોનારત કરી હતી એ બાદ એ ટાવર્સ ફરી બનાવવા માટેનું કાર્ય ૨૦ વર્ષ થયાં પછી પણ હજી પૂરું નથી થયું. આવતી કાલે એ દુર્ઘટનાને ૨૦ વર્ષ પૂરાં થશે. એ દુર્ઘટનામાં ૩૦૦૦ જેટલા લોકોનાં મૃત્યુ થયાં હતાં. બે દાયકા પછી પણ હજી ગ્રાઉન્ડ ઝીરો પુનઃસ્થાપિત કરવાનું કામ પૂરું નથી થયું.