પાંચ તત્વોમાંથી વાયુ તત્વને ઘણીવાર એટલું મહત્વ અપાતું નથી પણ આ વાયુતત્વ જે પ્રાણ શક્તિનું મુખ્ય વાહક છે. હવા ફક્ત ઑક્સિજન કે વેન્ટિલેશન માટે જ નહીં, પણ તેનામાં રહેલી સુવાસ, ગંધ આપણી સ્મૃતિઓ, આપણાં ભાવજગત અને સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી છે.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
Conscious Vaastuના સિદ્ધાંતોનું મૂળ સ્વરૂપ પ્રકૃતિ પર આધારિત છે. પાંચ તત્વોમાંથી વાયુ તત્વને ઘણીવાર એટલું મહત્વ અપાતું નથી પણ આ વાયુતત્વ જે પ્રાણ શક્તિનું મુખ્ય વાહક છે. હવા ફક્ત ઑક્સિજન કે વેન્ટિલેશન માટે જ નહીં, પણ તેનામાં રહેલી સુવાસ, ગંધ આપણી સ્મૃતિઓ, આપણાં ભાવજગત અને સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી છે.
ADVERTISEMENT
આપણને પાંચ ઇન્દ્રિયોનો આશીર્વાદ મળેલો છે, જેમાં હવા તત્વનો સંબંધ સ્મેલ સાથે છે. સુગંધ કોઈપણ જગ્યાનો અનુભવ વધુ ઊંડો બનાવે છે. કોઈ ઘર કે ઑફિસ દેખાવમાં સુંદર હોઈ શકે, પરંતુ જો ત્યાંની હવા ભારે, વાસી કે કૃત્રિમ સુગંધથી ભરેલી હોય, તો તે જગ્યાની એનર્જી લો થઈ જાય છે. કૉન્શિયસ વાસ્તુ પ્રમાણે, જગ્યાની કુદરતી સુગંધ તેની ઊર્જાની ગુણવત્તા દર્શાવે છે.
વાયુ તત્ત્વ અને ઇન્દ્રિયોની સમજ
હવા જીવનશક્તિનું તત્વ છે. શ્વાસ લેવાની પ્રક્રિયા સ્વાભાવિક છે, પણ તેની ગુણવત્તા આપણું સ્વાસ્થ્ય નક્કી કરે છે. નબળી હવાની ઊર્જા થાક, માથાનો દુખાવો અને માનસિક ઉદાસીનતા લાવી શકે છે. મગજને સચેત રહેવા માટે પૂરતું ઓક્સિજન જરૂરી છે. જ્યારે હવાની અવરજવર યોગ્ય ન હોય, ત્યારે લોકો થાક અનુભવતા હોય છે.
કૉન્શિયસ વાસ્તુમાં તાજી હવાનું મહત્વ ખૂબ જ વધારે છે. બારીઓ ખોલવી, સૂર્યપ્રકાશને અંદર આવવા દેવો અને બહારની હવા સાથે જોડાવું — આ સરળ ઉપાયો પણ ખૂબ અસરકારક છે. માત્ર એસી કે કૃત્રિમ હવાની વ્યવસ્થા કુદરતી તાજગીનો વિકલ્પ બની શકતી નથી.
પ્રેમ અંદર ભરો અને નફરત બહાર ફેંકો (Inhale Love and Exhale Hatered)
આ વિચાર કૉન્શિયસ વાસ્તુ સાથે ખૂબ સુંદર રીતે જોડાય છે. શ્વાસ અંદર લેવો એટલે શરીર, મન અને ભાવનાઓને ઊર્જા આપવી, જ્યારે શ્વાસ બહાર છોડવો એટલે નકારાત્મકતા છોડવી. જો આપણે જાગૃત રીતે પ્રેમને અંદર લઈએ અને દ્વેષને બહાર છોડીએ, તો ઊર્જાનો પ્રવાહ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.
જગ્યાઓ પણ એવી જ રીતે શ્વાસ લે છે. તાજી હવા જગ્યામાં પ્રેમ અને સકારાત્મકતા ભરે છે. દિવાલો જેમ ઊર્જા શોષે છે, તેમ આપણો શ્વાસ પણ ભાવનાઓનું વહન કરે છે. પ્રેમ સંબંધોને મજબૂત બનાવે છે અને દ્વેષ છોડવાથી વિસર્જિત થાય છે. જ્યારે આંતરિક લય અને જગ્યા વચ્ચે સુમેળ થાય, ત્યારે દરેક શ્વાસ પોષણ બની જાય છે અને દરેક નિશ્વાસ મુક્તિ આપે છે.
નાક — ઊર્જાનું પ્રવેશદ્વાર
વાયુ તત્વ માટે નાક એક મહત્વપૂર્ણ ઇનપુટ ડિવાઇસ તરીકે કામ કરે છે. જેમ કમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ માહિતી પહોંચાડે છે, તેમ નાક શરીરમાં ઊર્જા પહોંચાડે છે. ઓલ્ફેક્ટરી બલ્બ મગજના આગળના ભાગમાં આવેલું નાનું અંગ છે, જે સુગંધના સંકેતોને સીધા લિમ્બિક સિસ્ટમ સુધી પહોંચાડે છે — જે સ્મૃતિ અને ભાવનાઓને નિયંત્રિત કરે છે. એટલા માટે કેટલીક સુગંધ તરત જ મૂડ સુધારે છે અથવા જૂની યાદો તાજી કરે છે. કૉન્શિયસ વાસ્તુમાં આ માત્ર શારીરિક પ્રક્રિયા નથી, પરંતુ જગ્યા અને મન વચ્ચેનો એક સેતુ છે. દરેક શ્વાસ એક સંદેશ છે અને દરેક સુગંધ એક સંકેત, જે આપણા ભાવોને અને આસપાસના વાતાવરણને પ્રભાવિત કરે છે.
તાજા ફૂલ, કુદરતી જડીબુટ્ટીઓ કે વરસાદ પછીની માટીની સુગંધ — આ બધું કોઈપણ સ્થળે એક નવી ઊર્જા ભરે છે. બીજી તરફ, કૃત્રિમ પરફ્યુમ અને સ્પ્રે શરૂઆતમાં સારા લાગે, પરંતુ તે લાંબા ગાળે ઊર્જા ઘટાડે છે. ઉદાહરણ તરીકે, ઘણા લોકો કારમાં કૃત્રિમ સુગંધ વાપરે છે, જે દુર્ગંધ છુપાવે છે, પરંતુ અંદરથી ઊર્જા નબળી બનાવે છે.
સુગંધ — ઊર્જાની ભાષા
સુગંધ માત્ર ઇન્દ્રિય અનુભવ નથી, પરંતુ ઊર્જાની એક સૂક્ષ્મ ભાષા છે. કુદરતી સુગંધ સંતુલન દર્શાવે છે, જ્યારે દુર્ગંધ અથવા કૃત્રિમ સુગંધ અસંતુલનનો સંકેત આપે છે. કૉન્શિયસ વાસ્તુ અનુસાર, હવા તત્વ મજબૂત હોય ત્યારે વ્યક્તિ સજાગ, આનંદિત અને જોડાણનો અનુભવ કરે છે. જ્યારે હવા અવરોધિત થાય છે, ત્યારે થાક, માથાનો દુખાવો અને માનસિક ઉદાસીનતા વધે છે. આથી, કુદરતી સુગંધ — ફૂલ, જડીબુટ્ટી અથવા સ્વચ્છ હવાની સુગંધ — હંમેશા ઉત્તેજક માનવામાં આવે છે, જ્યારે કૃત્રિમ સુગંધથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com
