Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > Air India Planeમાં ટેક્નિકલ ખામી, ટેકઑફની સાથે જ મુશ્કેલી, પાછું ફર્યું!!

Air India Planeમાં ટેક્નિકલ ખામી, ટેકઑફની સાથે જ મુશ્કેલી, પાછું ફર્યું!!

Published : 16 June, 2025 02:44 PM | IST | Hong Kong
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અમલાદામાં થયેલા પ્લેન ક્રેશ અકસ્માતના થોડાક દિવસમાં ઍર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી આવી છે. ટેક ઑફ કરવાના થોડાક સમયમાં આ વિમાને ફરી હૉંગકૉંગ પાછા ફરવું પડ્યું.

ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર

ઍર ઇન્ડિયા ફ્લાઇટની ફાઈલ તસવીર


Ahmedabad Plane Crash: અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ અકસ્માતના થોડાક દિવસમાં ઍર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ટેક્નિકલ ખામી આવી છે. ટેક ઑફ કરવાના થોડાક સમયમાં આ વિમાને ફરી હૉંગકૉંગ પાછા ફરવું પડ્યું.


એવું લાગે છે કે ઍર ઇન્ડિયાના (Air India) ડ્રીમલાઈનર માટે મુશ્કેલીઓ છે કે ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. હૉંગકૉંગથી દિલ્હી (Hong Kong to Delhi) આવતા ઍર ઇન્ડિયાના વધુ એક બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાનને ટેક્નિકલ ખરાબીનો સામનો કરવો પડ્યો છે. ટેક ઑફ કરવાના થોડાક જ સમયમાં ટેક્નિકલ સમસ્યાની ખબર પડતાં જ આ વિમાનને ફરી હૉંગકૉંગ પાછા ફરવું પડ્યું. જણાવવાનું કે ચાર દિવસ પહેલા જ અમદાવાદથી લંડન જતી ઍર ઈન્ડિયા ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બની. આ અકસ્માતમાં વિમાનમાં પ્રવાસ કરતાં 241 યાત્રીઓના મોત નીપજ્યા. આ સિવાય જે હૉસ્પિટલના પરિસર પર આ વિમાન પડ્યું ત્યાંના પણ કેટલાક ડૉક્ટર્સના જીવ ગયા છે.



પાઇલટને થઈ શંકા
સૂત્રો પ્રમાણે હૉંગકૉંગથી દિલ્હી (Delhi) આવનારી ઍર ઇન્ડિયાની (Air India flight) ફ્લાઈટ એઆઈ315 ગઈકાલે રાતે 11 વાગીને 59 મિનિટે હૉંગકૉંગથી રવાના થઈ હતી. રેકૉર્ડ પ્રમાણે આ ફ્લાઈટ ત્રણ કલાક નવ મિનિટ મોડેથી રવાના થઈ હતી. ટેકઑફ કર્યા પછી પાઈલટને હવામાં ટેક્નિકલ સમસ્યાઓની શંકા થઈ. આ મામલે પાઇલટે વિમાનને સમુદ્રની ઉપર અમુક સમય સુધી ઉડાવી.


જો કે, જ્યારે સમસ્યા દૂર ન થઈ તો તેણે પાછા ફરવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિમાન લગભગ એક કલાક 19 મિનિટ બાદ પોતાના મૂળ સ્થાન એટલે કે હૉંગકૉંગ ઍરપોર્ટ પર પાછું ફર્યું. વિમાન સ્થાનિક સમયાનુસાર એક વાગીને 18 મિનિટે હૉંગકૉંગ ઍરપૉર્ટ (Hong Kong Airport) પર ઉતર્યું. જ્યાં તેની ઊંડી ટેક્નિકલ તપાસ કરવામાં આવશે.

અમદાવાદમાં થયો અકસ્માત
નોંધનીય છે કે ૧૨ જૂનના રોજ, એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર અમદાવાદથી લંડન (Ahmedabad to London) જઈ રહ્યું હતું ત્યારે એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ક્રેશ થયું અને ગુજરાતના (Gujarat) અમદાવાદમાં (Ahmedabad) બીજે મેડિકલ કોલેજના ડોક્ટર્સ હોસ્ટેલ સાથે અથડાયું. વિમાનમાં ૨૩૦ મુસાફરો અને ૧૨ ક્રૂ સભ્યો સહિત ૨૪૨ લોકો સવાર હતા. આ અકસ્માતમાં ૨૪૧ મુસાફરોના મોત થયા હતા. એકમાત્ર બચી ગયેલા વ્યક્તિની ઓળખ ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ તરીકે થઈ છે, જે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે.


આજે અમદાવાદ પ્લેન ક્રેશનું બીજું બ્લેક બૉક્સ પણ મળી આવ્યું છે. આ બ્લેક બૉક્સના મળવાથી શક્યતા અને આશા છે કે પ્લેન ક્રેશના કારણ વિશે વધુ સચોટ માહિતી મળી શકશે.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 02:44 PM IST | Hong Kong | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK