ખૈબર પખ્તુનખ્વાના આદિવાસી જિલ્લા બાજૌરમાં એક આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન એક ધાર્મિક કૉલેજ (સૅમિનરી) ની દિવાલ સાથે અથડાયું. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, મદરેસાની અંદર આઠ પોલીસ અને ફ્રન્ટિયર કૉર્પ્સના કર્મચારીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં બે બૉમ્બ વિસ્ફોટ અને ગોળીબારમાં ઓછામાં ઓછા 11 સુરક્ષા કર્મચારીઓ અને ત્રણ નાગરિકો માર્યા ગયા હતા. મૃતકોમાં એક બાળકનો પણ સામેલ છે. આ ઘટનાઓમાં 25 લોકો ઘાયલ થયા હતા. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ અફઘાનિસ્તાન સાથેની દક્ષિણ અને ઉત્તરીય સરહદો પરના વિસ્તારોમાં વધતી જતી આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરી રહી છે.
બાજૌરમાં આત્મઘાતી હુમલો
ADVERTISEMENT
સોમવારે સાંજે, ખૈબર પખ્તુનખ્વાના આદિવાસી જિલ્લા બાજૌરમાં એક આત્મઘાતી બૉમ્બરે વિસ્ફોટકોથી ભરેલું વાહન એક ધાર્મિક કૉલેજ (સૅમિનરી) ની દિવાલ સાથે અથડાયું. સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, મદરેસાની અંદર આઠ પોલીસ અને ફ્રન્ટિયર કૉર્પ્સના કર્મચારીઓ ઘટનાસ્થળે જ માર્યા ગયા હતા અને 10 અન્ય ઘાયલ થયા હતા. વિસ્ફોટને કારણે નજીકના ઘણા ઘરોની છત તૂટી પડી હતી, જેમાં એક બાળકીનું મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં એક છોકરીનું મોત થયું હતું. પાકિસ્તાની સેનાએ મંગળવારે જણાવ્યું કે આ હુમલામાં એક બાળક અને ૧૧ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા છે. મહિલાઓ અને બાળકો સહિત સાત અન્ય લોકો ઘાયલ થયા છે.
મૃત્યુઆંક વધી શકે
બાજૌરમાં સુરક્ષા ચોકી પાસે થયેલો વિસ્ફોટ અને મદરેસાની દિવાલ સાથે અથડાતું વાહન એક જ ઘટના હતી કે અલગ-અલગ ઘટનાઓ હતી તે સ્પષ્ટ નથી.
બન્નુમાં પોલીસ સ્ટેશન નજીક વિસ્ફોટ
સોમવારે, ખૈબર પખ્તુનખ્વાના બીજા જિલ્લા બન્નુમાં મિરયાન પોલીસ સ્ટેશન નજીક એક રિક્ષામાં રાખેલો બૉમ્બ બ્લાસ્ટ થયો. આ વિસ્ફોટમાં બે નાગરિકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 17 લોકો ઘાયલ થયા. આ વિસ્ફોટ પાર્ક કરેલી મોટરસાઇકલમાં રાખેલા વિસ્ફોટક ઉપકરણને કારણે થયો હતો.
શાંગલામાં એન્કાઉન્ટર
પ્રાંતના શાંગલામાં સર્ચ ઑપરેશન દરમિયાન પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. એન્કાઉન્ટરમાં ત્રણ પોલીસકર્મીઓ અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા આતંકવાદીઓ ચીની નાગરિકોને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓમાં સામેલ હતા. આ વિસ્તાર સિલ્ક રોડ રૂટની નજીક છે, અને આ આતંકવાદીઓ વ્યૂહાત્મક રોડ કોરિડોર અને ચીની વિકાસ પ્રોજેક્ટ્સ માટે સતત જોખમ ઊભું કરતા હતા. આના કારણે આતંકવાદ વિરોધી વિભાગ (CTD) અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી શરૂ કરવામાં આવી. 2021 થી પાકિસ્તાનમાં સુરક્ષા દળો પર હુમલાઓમાં તીવ્ર વધારો થયો છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પાછા ફર્યા પછી આ વધારો જોવા મળ્યો હતો. પાકિસ્તાને મોટાભાગના હુમલાઓ માટે પાકિસ્તાન તાલિબાન અથવા TTP ને દોષી ઠેરવ્યું છે. TTP નેતાઓ હવે અફઘાનિસ્તાનમાં છે. TTP સભ્યો મોટાભાગે પાકિસ્તાનની અફઘાન સરહદ પરના આદિવાસી વિસ્તારોમાંથી આવે છે. આ તાજેતરના હુમલાઓ બાદ, સુરક્ષા એજન્સીઓએ આ પ્રદેશમાં સર્ચ ઑપરેશન અને સુરક્ષા વધારી દીધી છે.
