Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે ઈરાન? નેતન્યાહૂએ કર્યો ખુલાસો

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને મારવાનું કાવતરું ઘડી રહ્યું છે ઈરાન? નેતન્યાહૂએ કર્યો ખુલાસો

Published : 16 June, 2025 11:03 AM | IST | Jerusalem
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Iran-Israel War: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈરાની સરકારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડ્યું કારણ કે ઈરાન તેમને તેના પરમાણુ કાર્યક્રમ માટે ખતરો માનતું હતું

બેન્જામિન નેતન્યાહૂની ફાઇલ તસવીર

બેન્જામિન નેતન્યાહૂની ફાઇલ તસવીર


ઇઝરાયલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચેનું યુદ્ધ (Iran-Israel War) ધીમે-ધીમે વધી રહ્યું છે. પરિસ્થિતિ વધુ તણાવભરી છે. ત્યારે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ રવિવારે એક સનસનાટીભર્યા નિવેદન આપતા દાવો કર્યો હતો કે, ઈરાની સરકાર અમેરિકા (United States of America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને તેના પરમાણુ કાર્યક્રમ માટે ખતરો માને છે અને તેમણે તેમની હત્યાનું કાવતરું ઘડ્યું છે.


ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાબતે મોટો ખુલાસો કર્યો છે. નેતન્યાહૂએ કહ્યું કે ઈરાનની નજરમાં ટ્રમ્પ તેમનો સૌથી મોટો દુશ્મન છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતા નેતન્યાહૂએ કહ્યું, તેઓ (ઈરાન) ટ્રમ્પને મારવા માંગે છે. તે તેમનો સૌથી મોટો દુશ્મન છે.



તેમણે વધુમાં કહ્યું, ‘ડોનાલ્ડ ટ્રમ્પ એક મજબૂત અને નિર્ણાયક નેતા છે. તેમણે ક્યારેય ઈરાન સાથે સમાધાન કરવા માટે નબળાઈનો માર્ગ પસંદ કર્યો નહીં, જેનાથી ઈરાનને યુરેનિયમ સમૃદ્ધ કરવાનો અને પરમાણુ બોમ્બ બનાવવાનો માર્ગ સરળ બન્યો હોત. ટ્રમ્પે તે નકલી કરાર તોડી નાખ્યો અને કાસિમ સુલેમાનીને મારી નાખ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમની કડકતાને કારણે, તેઓ ઈરાનનો સૌથી મોટો દુશ્મન બની ગયા છે.’


નેતન્યાહૂએ કહ્યું કે, તેઓ પોતે પણ ઈરાનના નિશાના પર છે. તેમના ઘરની બારી પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. પોતાને ટ્રમ્પના ‘જુનિયર પાર્ટનર’ ગણાવતા તેમણે કહ્યું કે, તેઓ બંને સાથે મળીને ઈરાનના પરમાણુ શસ્ત્રો બનાવવાના પ્રયાસોને રોકી રહ્યા છે.

નેતન્યાહૂએ કહ્યું કે, ઇઝરાયલ ‘તાત્કાલિક ખતરા’નો સામનો કરી રહ્યું છે અને તેમની પાસે છેલ્લી ઘડીએ કડક પગલાં લેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેમણે કહ્યું, ‘આપણે બે મોટા ખતરાનો સામનો કરી રહ્યા છીએ. પહેલું, યુરેનિયમને સમૃદ્ધ કરીને પરમાણુ બોમ્બ બનાવવાનો ઈરાનનો પ્રયાસ. તેનો ઉદ્દેશ્ય આપણને નષ્ટ કરવાનો છે. બીજું, તેમનો બેલિસ્ટિક મિસાઈલોનો વધતો ભંડાર. તેની પાસે દર વર્ષે 3,600 મિસાઈલ બનાવવાની ક્ષમતા છે. ત્રણ વર્ષમાં 10,000 મિસાઈલ અને 26 વર્ષમાં 20,000 મિસાઈલ. ઈઝરાયલ જેવો નાનો દેશ આ સહન કરી શકે નહીં. આપણે કોઈપણ કિંમતે કાર્યવાહી કરવી પડી.’


બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, ‘ઇઝરાયલની કાર્યવાહી ફક્ત પોતાની સુરક્ષા માટે નથી પરંતુ સમગ્ર વિશ્વને ઇરાન દ્વારા ઉભા થયેલા ખતરાથી બચાવવા માટે છે. ઇરાને ઇઝરાયલી શહેરો પર મોટી સંખ્યામાં બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરીને જવાબ આપ્યો, પરંતુ મોટાભાગની મિસાઇલોને નિષ્ક્રિય કરવામાં આવી. લશ્કરી કાર્યવાહીએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને નોંધપાત્ર રીતે પાછળ ધકેલી દીધો છે. ઈરાન સાથે વાટાઘાટો કરવાનો કોઈ અર્થ નથી કારણ કે તે એક એવી સરકાર છે જે આતંકવાદને પ્રોત્સાહન આપે છે.’

નેતન્યાહૂએ ઇઝરાયલની કાર્યવાહીને ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ (Operation Rising Lion) ગણાવી અને તેને ઇતિહાસની સૌથી મોટી લશ્કરી કાર્યવાહીમાંની એક ગણાવી.

Whatsapp-channel Whatsapp-channel

16 June, 2025 11:03 AM IST | Jerusalem | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK